ગુજરાતના સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી ગયો. આ વરસાદના કારણે સૌથી વધુ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લા વધુ પ્રભાવિત થયા છે. આ દરમિયાન દ્વારકામાં એક જ ઝાટકે 25 ઇંચ વરસાદ ખાબકી ગયો. દ્વારકાના લોકોમાં હવે ભયનો માહોલ છે આ ભયનું કારણ વરસાદ નહીં પરંતુ વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશથ મંદિરના ટોચ પર ફરકતો ઝંડો તૂટી ગયો છે. લોકોનું માનવું છે કે આ કોઇ મોટી દુર્ઘટનાના સંકેત છે.
ભારે વરસાદમાં ભગવાન દ્વારકાધીશ મંદિરનો શિખર દંડ તૂટી ગયો છે. આ ઝંડો હવે રસ્સીથી બાંધવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારી સામે લાચાર બની ગયેલા લોકો સામે હવે વરસાદે નવો ભય પેદા કર્યો છે. મંદિરના શિખરનો દંડ તૂટવાની ઘટનાને લોકો આસ્થા સાથે જોડી રહ્યાં છે.
દ્વારકાધીશ મંદિરમાં પુજા કરનારા પંડિત મુકુંદ ગુગડીએ એનબીટીને જણાવ્યું કે ધ્વજ સ્તંભ કોઇપણ રાજ્યના ગૌરવ અને કુશલતાનું પ્રતિક હોય છે. તેના તૂટવાનો સંકેત કરે છે કે રાજ્ય પર અથવા રાજ્યમાં ઉચ્ચ સત્તા પર બિરાજમાન વ્યક્તિ પર સંકટ આવી શકે છે. તેઓએ જણાવ્યું કે છેલ્લે આવું 1998માં થયું હતું ત્યારબાદ ગુજરાતમાં કંડલા પોર્ટ પર વિનાશકારી વાવાઝોડું આવ્યું હતું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે 6 જુલાઇએ દ્વારકાધીશના શિખર પર લહેરાતા આ ઝંડાના બે ટૂકડા થઇ ગયા હતા. મંદિરમાં દરરોજ ત્રણ વખત ઝંડો બદલવામાં આવે છે.
આ ઝંડો 52 ગજનો હોય છે. ઝંડો ફાટવા અને તેના પોલ તૂટ્યા બાદ બધા ચિંતામાં છે. લોકો તો હવે મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવાનું પણ શરૂ કરી દીધું છે.