અમદાવાદઃ 22 મેએ જેઠ મહિનાની અમાસ છે. પુરાણો અનુસાર આ દિવસે જ શનિદેવનો જન્મ થયો હતો. એટલે જ આ દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. જ્યોતિષોના જણાવ્યા અનુસાર, આ દિવસે શનિદેવનું વક્રી થવું એ લોકો માટે ખૂબજ મહત્વનું છે, જેમના પર સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે. શનિની આ સ્થિતિની અસર 29 સપ્ટેમ્બર સુધી રહેશે. એટલે શનિ જયંતિ પર મિથુન, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકોએ ખાસ પૂજા કરવી જોઇએ. મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની ઢૈયા ચાલી રહી છે. તો ધન, મકર અને કુંભ રાશિના લોકો પર સાડાસાતી ચાલી રહી છે.
આ સમયે મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા અને ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રભાવ છે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે અહીં જણાવેલા ઉપાય કરો.
શનિ મંત્રનો જાપ કરો: ऊं शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।…
ઉપાય:
1. કાળી ગાયની સેવા કરો. શનિદેવ પ્રસન્ન થાય છે. 2. દર શનિવારે ઉપવાસ કરો. સૂર્યાસ્ત બાદ હનુમાનજીની પૂજા કરો.
3. કોઇ વિદ્વાનને પૂછીને કાળા ઘોડાની નાળ કે નાળમાં લાગેલ કીલથી બનાવેલ વીંટી ધારણ કરો. 4. શનિવારે એક કાંસાની વાટકીમાં તલનું તેલ કરી તેમાં તમારો ચહેરો જુઓ અને દાન કરો. 5. શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
6. શનિવારે 11 આખાં નારિયેળ નદીમાં વહાવો. 7. રોજ પીપળા પર જળ ચઢાવો. 8. લાલ ચંદનની માળાને અભિમંત્રિત કરી શનિવારે ધારણ કરો. 9. શનિવારે શનિ યંત્રની સ્થાપના કરો અને તેની પૂજા કરો. 10. રોજ સવારે સ્નાન બાદ શનિ મંત્રનો જાપ કરો.