ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. 1159 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે 21 મે સુધીમાં ભારતમાં કોરોનાની ગતિ રોકાઈ જશે.
મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પબ્લિક પોલિસીના સંશોધન મુજબ લોકડાઉનથી ભારતને ફાયદો થઈ રહ્યો છે. શરૂઆતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. પરંતુ હવે તે ઘટતાં જોવા મળી રહ્યા છે. ડેટા આકારણી મુજબ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે 21 મે સુધી કોરોનાની ગતિ ધીમી પડી જશે. આ સંશોધન નીરજ હાતેકર અને પલ્લવી બેલહેકરે કર્યું હતું.
21 મે સુધીમાં મહારાષ્ટ્રમાં 24 હજાર કેસ હશે
નીરજ હાતેકર અને પલ્લવી બેલહેકરે કહ્યું કે 21 મે સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 24,222 પર પહોંચી જશે. મહારાષ્ટ્રમાં 10,000થી વધુ કેસ નોંધાયા છે. બીજીતરફ, 7 મે સુધીમાં ગુજરાતમાં 4,833 પહોંચવાની ધારણા છે. જો કે ગુરુવારે તે 4 હજારને પાર પહોંચી ગયા છે.
અન્ય રિસર્ચમાં પણ કરાયો દાવો
અગાઉ સિંગાપોરની એક યુનિવર્સિટીએ ડેટા સાયન્સ દ્વારા દાવો કર્યો હતો કે, ભારતમાં કોરોના વાયરસ 27મેની આસપાસ સમાપ્ત થઈ શકે છે. સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી અને ડિઝાઇન દ્વારા કોરોનાના ફેલાવાનાં દરની આકારણી કરવામાં આવી હતી.