સપ્ટેમ્બર મહિનામાં જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ મહત્ત્વનો છે. સપ્ટેમ્બર મહિનામાં ઘણાં ગ્રહોની ચાલ બદલાશે. આ મહિને સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ, રાહુ-કેતુ અને શનિની ચાલ બદલાશે. જેમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ-કેતુ એક રાશિ છોડી બીજી રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જ્યારે મંગળ વક્રી થશે અને ગુરુ અને શનિની ચાલ વક્રીથી માર્ગીમાં બદલાશે. એક મહિનામાં આટલા ગ્રહનું પરિવર્તન જ્યોતિષશાસ્ત્રના દ્રારા ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. એવામાં 9 ગ્રહોની ચાલમાં પરિવર્તનની દરેક રાશિઓ પર વ્યાપક અસર રહેશે.
સૂર્યનું રાશિ પરિવર્તન
આ મહિને 17 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિને છોડી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેમાં સૂર્ય 17 ઑક્ટોબર સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય એક મહિને પોતાની રાશિ બદલે છે. કુંડલીમાં સૂર્ય મજબૂત હોવાથી વ્યક્તિને માન-સન્માન, યશ અને સફળતા મળે છે.
શુભ પ્રભાવઃ મેષ, કર્ક અને ધન
અશુભ પ્રભાવઃ વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક
મિશ્ર પ્રભાવઃ મકર, કુંભ અને મીન
મંગળ વક્રી થશે
ખૂબ જ સાહસી અને પરાક્રમી ગ્રહ પૃથ્વી પુત્ર મંગળ 10 સપ્ટેમ્બરે સવારે 3.50 વાગ્યે વક્રી થશે અને 4 ઓક્ટોબરની સવારે 10.05 વાગ્યે ફરી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ પછી 14 નવેમ્બરે માર્ગી થશે.
શુભ પ્રભાવઃ કુંભ, મીન અને વૃશ્ચિક
અશુભ પ્રભાવઃ કર્ક, સિંહ, કન્યા અને તુલા
મિશ્ર પ્રભાવઃ મેષ, વૃષભ, મિથુન, મકર અને ધન
બુધનું રાશિ પરિવર્તન
ગત 3 સપ્ટેમ્બરે બુધ ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ પછી 22 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધના રાશિ પરિવર્તનનો પ્રભાવ યુવા, શિક્ષા અને વેપારના ક્ષેત્ર પર વધારે રહેશે. બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે પણ, ચંદ્ર બુધને પોતાનો મિત્ર માને છે. એટલે જ બંને વચ્ચે વિરોધાભાસી પ્રભાવ જોવા મળતાં રહે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. મીન રાશિમાં નીચરાશિગત અને કન્યા રાશિમાં ઉચ્ચ રાશિગતમાં કહેવામાં આવે છે.
શુભ પ્રભાવઃ મેષ, કર્ક, સિંહ અને કુંભ
અશુભ પ્રભાવઃ વૃષભ, મિથુન, કન્યા, તુલા અને વૃશ્ચિક
મિશ્ર પ્રભાવઃ મકર, ધન અને મીન
ગુરુ માર્ગી થશે
13 સપ્ટેમ્બર 2020થી ગુરુ ધન રાશિમાં માર્ગી થઈ રહ્યો છે. જેમાં તે 20 નવેમ્બર સુધી રહેશે. ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચ તથા મકર રાશિમાં નીચરાશિગત માનવામાં આવે છે. જેના રાશિ પરિવર્તનનો પૃથ્વીવાસીઓ પર પ્રત્યક્ષ પ્રભાવ જોવા મળે છે.
શુભ પ્રભાવઃ મેષ, મિથુન અને વૃશ્ચિક
અશુભ પ્રભાવઃ વૃષભ, કર્ક, કન્યા અને તુલા
મિશ્ર પ્રભાવઃ સિંહ, ધન, મકર, કુંભ અને મીન
શુક્રનું રાશિ પરિવર્તન
સુખ અને વૈભવનો કારક ગ્રહ શુક્ર 27 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેમાં તે 23 ઓક્ટોબર સુધી રહેશે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. કન્યા રાશિમાં નીચરાશિગત તથા મીન રાશિમાં ઉચ્ચ રાશિગત હોય છે. કુંડળીમાં શુક્રના શુભ પ્રભાવથી વ્યક્તિને દરેક રીતની સુખ-સુવિધા અને ભોગ વિલાસ સંબંધિત વસ્તુ પ્રાપ્ત થાય છે.
શુભ પ્રભાવઃ સિંહ, કન્યા, તુલા, ધન અને મકર
અશુભ પ્રભાવઃ કુંભ, મીન અને વૃશ્ચિક
મિશ્ર પ્રભાવઃ મેષ, વૃષભ, મિથુન અને કર્ક
શનીની ચાલમાં બદલાવ થશે
જ્યોતિષશાસ્ત્રમાં શનિની વિશેષ ભૂમિકા છે. શનિ 29 સપ્ટેમ્બરે મકર રાશિમાં માર્ગી થશે. આ પહેલાં શનિ 11 મેએ વક્રી થયો હતો. 29 સપ્ટેમ્બર પછી શનિ એકવાર ફરી માર્ગી થશે. જ્યારે-જ્યારે શનિ તેમનું સ્થાન પરિવર્તન કરે છે ત્યાં-ત્યાં ઘણી રાશિના જાતકો પર પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ પ્રભાવ પડે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહેતો હોવાથી 12 રાશિઓનું એક ચક્કર લગાવવામાં લગભગ 30 વર્ષનો સમય લગાવે છે. જેમ કે આ સમયે શનિ મકર રાશિમાં ગોચર છે હવે બીજીવાર મકર રાશિમાં આવવા માટે શનિને 30 વર્ષનો સમય લાગશે.
શુભ પ્રભાવઃ કર્ક, કન્યા, વૃશ્ચિક અને સિંહ
અશુભ પ્રભાવઃ મેષ, વૃષભ, મિથુન, તુલા અને ધન
મિશ્ર પ્રભાવઃ મકર, કુંભ અને મીન
રાહુનું રાશિ પરિવર્ત
23 સપ્ટેમ્બર પછી રાહુ 18 મહિના પછી પોતાની રાશિ બદલશે. રાહુની ચાલમાં બદલાવ ખૂબ જ મહત્ત્વનો છે. લગભગ 18 મહિના પછી રાહુ મિથુ રાશિની યાત્રા સમાપ્ત કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં તે એપ્રિલ 2022 સુધી વિરાજમાન રહેશે આ પછી મેષ રાશિમાં પ્રવેશ કરશે.
શુભ પ્રભાવઃ કર્ક, સિંહ, મીન અને ધન
અશુભ પ્રભાવઃ મેષ, વૃષભ, મિથુન અને કન્યા
મિશ્ર પ્રભાવઃ તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ
કેતુનું રાશિ પરિવર્તન
કેતુને રહસ્યમયી કાંતિ કથા ગૌરવશાળી જ્યોતિ કિરણ કહેવામાં આવે છે. કોઈ પણ જાતકની જન્મકુંડળીમાં કેતુ જે ભાવમાં રહે છે તે ગ્રહનો સ્વામીના મુજબ ફળ આપે છે અથવા જે ગ્રહ સાથે રહે છે ગ્રહના પ્રભાવમાં વૃદ્ધિ કરે છે. એટલે ગ્રહ શુભ છે તો શુભતામાં અને ગ્રહ અશુભ છે તો અશુભતામાં વૃદ્ધિ કરશે.
શુભ પ્રભાવઃ તુલા, સિંહ, મિથુન અને તુલા
અશુભ પ્રભાવઃ મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન