ચંદીગઢનાં ધનાસ ગામમાં સ્થિત કાલી માતાનાં મંદિરમાં ગઈ રાત્રિ દરમ્યાન એક અજીબ ઘટના સામે આવી છે. મંદિરની સામે લાગેલાં એક ત્રિશૂલમાં એક યુવકે પોતાનું માથું ફસાવીને આત્મહત્યા કરી લીધી હતી. યુવકની આ હરકત મંદિરમાં લાગેલાં CCTVના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. મંદિરનાં પ્રધાન મુજબ, પહેલાં આ યુવક એક-બે વાર જ મંદિરમાં આવ્યો હતો. તેના વિશે કોઈને જાણણ નથી, કે તે ક્યાંનો રહેવાસી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જાણકારી મુજબ, લગભગ 45 વર્ષનો આ યુવક શનિવારે રાત્રે મંદિરરમાં સુતો હતો. રાત્રે લગભગ 10.15 વાગ્યે તે ઉઠ્યો અને માતાનાં સિંહોની મૂર્તિની સામે જઈને માથુ પકડીને જોર-જોરથી હલાવવા લાગ્યો હતો અને ગુસ્સામાં કંઈક બબડવા લાગ્યો હતો. ત્યારબાદ તે મંદિરની મૂર્તિઓ પાસે જઈને દરેક મૂર્તિ પાસે માથુ ટેકવવા લાગ્યો હતો.
ત્યારબાદ તે ત્રિશૂળ લાગેલું હતુ, તેને હલાવવા લાગ્યો હતો. એકાએક તેણે પોતાના માથાને ત્રિશૂળનાં એક હિસ્સામાં ફસાવી દીધું હતું. જે બાદ તે પુજારીએ તે જ હાલતમાં મૃત મળ્યો હતો.
મંદિરનાં પુજારી મુજબ, આજે રવિવારે સવારે જ્યારે એક યુવક પૂજા કરવા માટે આવ્યો તો તેણે મંદિરમાં ત્રિશૂળમાં ફસાયેલો એક માણસ જોયો. તે બાદ તેણે મંદિર પ્રધાન અને પોલીસને જાણ કરી હતી. પોલીસે જઈને તપાસ કરી અને લાશને હોસ્પિટલનાં મુર્દાઘરમાં રાખવામાં આવી છે.
પોલિસ જ્યારે લાશને લઈને ગઈ તો આખા મંગિર પરિસરને પાણીથી ધોવામાં આવ્યુ અને સેનેટાઈઝ કરવામાં આવ્યુ હતુ.