પટનાઃ કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ સાત જનમ સુધીનો હોય છે. તે દરેક સુખ-દુઃખમાં એકબીજાની સાથે હોય છે. જોકે, બિહારમાં એક મહિલા પોતાના પતિને માત્ર એટલા માટે છૂટાછેડા આપવા માગે છે, કારણ કે તેને ડાયાબિટિઝ છે. આ કારણે જ તે તેની સાથે રહેવા ઇચ્છતી નથી. (Representative Pics)
વાત એવી છે કે આ ઘટના વૈશાલી જિલ્લામાં મંગળવારે (11 ફેબ્રુઆરી) સામે આવી હતી, જ્યાં 20 વર્ષની પરીણિતા આંચલે મહિલા આયોગ પાસે જઇને પતિથી અલગ થવાની અરજી કરી. આંચલે કહ્યું હતું કે મેડમ જ્યારે તેના લગ્ન થયા ત્યારે પતિએ કોઇ બીમારીની જાણકારી આપી નહોતી. જોકે, જ્યારે તે પરણીને સાસરે આવી ત્યારે તેને જાણવા મળ્યું કે તેના પતિને ડાયાબિટિઝ છે અને તે બહારની કોઈ ચીજ-વસ્તુ ખાઈ શકે તેમ નથી. તે તેની સાથે જીવન વીતાવી શકે તેમ નથી. આથી તેની સાથે તમામ સંબંધ તોડવા ઈચ્છે છે. (Representative Pics)
જાણકારી પ્રમાણે ગત વર્ષે જુનમાં આંચલના લગ્ન વૈશાલી જિલ્લામાં રહેતા દિનદયાલ સાથે થયા હતા. પત્નીનું કહેવું છે કે પતિની બીમારીના કારણે અલગ-અલગ ખાવાનું ના બનાવી શકું. થોડું ગળ્યું ખવડાવી દઉં તો તેઓ બીમાર થઇ જાય છે. આવું ચાલ્યું તો તેઓ ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે. પછી તેનું શું થશે. આવું થાય એ પહેલા જ તે અલગ થવા ઈચ્છે છે. (Representative Pics)
તો બીજી બાજુ આંચલના પતિ દિનદયાલનું કહેવું છે કે તે દરેક પરિસ્થિતિમાં આંચલની સાથે જ રહેવા ઈચ્છે છે તેની તબિયત ક્યારેક બગડી જાય છે પરંતુ તેને કોઈ મોટી બીમારી નથી. વધુમાં દિનદયાલે કહ્યું હતું કે તેમના લગ્ન પરિવારજનોની મરજીથી થયા હતા. બંને લગ્નથી ખુશ હતા પરંતુ હવે પત્ની અચાનક સાથે રહેવાની ના પાડે છે. (Representative Pics)
પતિનું કહેવું છે કે પહેલા તેણે કોઇ ફરિયાદ કરી નહોતી. તો અચાનક તેને શું થઇ ગયું. ખાવા-પીવાને લઇને કોણ સંબંધ તોડે? મહિલા આયોગે બંનેની વાત સાંભળી પતિ-પત્નીને સાથે રહેવાની સલાહ આપી છે. (Representative Pics)