Only Gujarat

National

બાપે ત્રણ દીકરીઓ, પત્ની ને ઘરડી માને તડપાવી તડપાવીને મારી નાખ્યા

હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જે વિચારીને થાય કે આજના આધુનિક સમયમાં પણ માણસ આ હદે અંધવિશ્વાસ ધરાવતો હોઈ શકે ખરાં? એક પિતાએ અંધ વિશ્વાસના ચક્કરમાં ફસાઈની ઘરડી માતા, પત્ની ને ત્રણ-ત્રણ દીકરીઓની ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ ઘટના ઉત્તરાખંડના ઋષિકેશમાં રાનીપોખરીની છે. અહીંયા મહેશ તિવારી નામના વ્યક્તિએ હેવાનીયતની તમામ હદ પાર કરી હતી. તેણે ઘરડી માતા બીતન દેવી, પત્ની નીતુ તથા ત્રણ દીકરીઓ અપર્ણા, સ્વર્ણા તથા અન્નપૂર્ણાની હત્યા કરી નાખી હતી.

મહેશ આખો દિવસ પૂજા-પાઠ કરતો હતો. પડોશીઓએ કહ્યું હતું કે તે અવાર-નવાર કહેતો કે તેને લોહી જોઈને ડર લાગે છે, પરંતુ સોમવાર 29 ઓગસ્ટના રોજ તેણે પરિવારના પાંચ-પાંચ સભ્યોની હત્યા કરી નાખી. મહેશ જે ઘરમાં રહેતો હતો, તે ઘણું જ મોટું છે. આ ઘરમાં મહેશના મોટાભાઈ ઉમેશે ઋષિકેશના જાણીતા ડૉક્ટર્સ પાસેથી ખરીદ્યું હતું.

ગરમીમાં પણ તે ઘરની બારીઓ બંધ રહેતી હતી. આટલું જ નહીં બારીઓ પર ન્યૂઝ પેપર લગાવીને રાખ્યા હતા, જેથી અંદર કોઈ જોઈ ના શકે. આલીશાન ઘરમાં બગીચા માટે પૂરતી જગ્યા હતા, પરંતુ ઠેર-ઠેર ઘાસ ઉગી નીકળ્યું હતું અને કોઈ સરખી કાળજી પણ લેતું નહોતું. આટલું જ નહીં બગીચામાં કોઈ કાંટાળો છોડ જોઈ લે તો મહેશ ભડકી જતો હતો, તેમ પડોશીઓએ ઉમેર્યું હતું.

વધુમાં આસપાસના લોકોએ કહ્યું હતું કે ઘરની બહાર મેન ગેટમાં હંમેશાં તાળું રહેતું હતું. અંધવિશ્વાસને કારણે તે તંત્ર-મંત્ર કરતો અને આ જ અંધવિશ્વાસે તેને હેવાન બનાવી દીધો. તે પહેલાં લોહી જોઈને ડરી જતો હતો, પરંતુ હવે તેના હાથ લોહીથી રંગાયેલા છે.

મહેશે જ્યારે પરિવારની હત્યા કરી તો નાની દીકરી અન્નપૂર્ણાએ પડોશીઓને બોલવવા માટે બારી ખોલી હતી. સૌ પહેલાં બાજુમાં રહેતા સુબોધ જયસ્વાલની પત્ની ગીતાએ અવાજ સાંભળ્યો હતો. તેણે પતિને અન્નપૂર્ણાને જોવા જાય. જ્યારે સુબોધે બારીમાંથી જોયું તો મહેશ નાની દીકરીને મારવાનો પ્રયાસ કર્યો હતો, પછી લોહીથી રંગાયેલા હાથથી મહેશે બારી જોરથી બંધ કરી દીધી હતી.

ત્યારબાદ અન્નપૂર્ણાએ બીજી બારી ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અડધી જ ખુલી હતી. પડોશીએ અંદર જોયું તો મહેશ દીકરીનું ગળું કાપતી હતી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

You cannot copy content of this page