પિતાનું નિધન થયું છતાં પણ આ અધિકારી ઘરે જવાને બદલે બજેટનું છાપકામ કરતાં રહ્યાં, જાણો કેમ
નવી દિલ્હીઃ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. જોકે આ પહેલા એક માર્મિક ઘટના બની હતી. બજેટના છાપકામમાં જોડાયેલા ડેપ્યુટી મેનેજર કુલદીપ શર્માના પિતાનું 26 જાન્યુઆરીએ નિધન થયું હતું પરંતુ કુલદીપ શર્મા બજેટના છાપકામમાં વ્યસ્ત હોવાથી પોતાના ઘરે ગયા ન હતાં. જેના કારણે સમગ્ર દેશમાં આ અધિકારીની વાહ વાહ થઈ રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
મહત્વની વાત એ છે કે, બજેટ છાપકામ સાથે જોડાયેલ અધિકારીઓને ખાસ નિયમોને ફોલો કરવાનો હોય છે. કુલદીપ શર્મા પણ તે જ નિયમો ફોલો કરતાં હતાં. તેમણે કહ્યું હતું કે, બજેટ છાપકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ જ તેઓ ઘરે જશે.
બજેટના છાપકામ સાથે જોડાયેલા અધિકારી કુલદીપ શર્મા 26 જાન્યુઆરીએ ડ્યુટી પર હતા. તે સમયે કુલદીપ શર્માના પિતાનું નિધન થયું હતું. પરંતુ તેમણે નક્કી કર્યું હતું કે, તેઓ પિતાના મોત પર ઘરે જવાના બદલે બજેટના છાપકામમાં જ વ્યસ્ત રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાની પર્સનલ લાઈફને છોડીને ફરજને વધારે મહત્વ આપ્યું હતું. જેના કારણે સમગ્ર દેશમાં તેમના વખાણ થઈ રહ્યાં છે.
બજેટના છાપકામની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવતી હોય છે. તેમાં કામ કરી રહેલા કર્મચારીઓને ઘરે જવાની પણ પરમીશન આપવામાં આવતી હોતી નથી. બધાં કર્મચારીઓ માત્ર બજેટના છાપકામ પર ધ્યાન આપે છે. જેથી બજેટમાં શું જાહેરાત થવાની છે તે માહિતી લીક ન થઈ શકે.
લગભગ 10 દિવસ સુધી બજેટના છાપકામ સમયે તેમાં કામ કરી રહેલા એક પણ વ્યક્તિને બહાર જવાની પરમીશન આપવામાં આવતી નથી. કુલદીપ શર્મા આ વાતને બહુ જ સારી રીતે જાણે છે કે, તેમની ડ્યૂટી કેટલી મહત્વપૂર્ણ છે અને જો તેઓ પોતાની ડ્યૂટી પરથી હટી જાય છે તો સમગ્ર દેશ પર તેની અસર પડી શકે છે.
Informing with regret that Shri Kuldeep Kumar Sharma, Dy Manager (Press), lost his father on 26 Jan,2020. Being on budget duty, he was on job in the lock-in. In spite of his immense loss, Sharma decided not to leave press area even for a minute. @nsitharamanoffc @Anurag_Office
— Ministry of Finance (@FinMinIndia) January 30, 2020
આ કારણે જ કુલદીપ શર્માએ પોતાની ડ્યૂટીની ગુપ્તતા જાળવવાનો નિર્ણય કર્યો હતો કે તે પોતાના પિતાના મોત પર ઘરે નહીં જાય અને બજેટની ગુપ્ત પ્રક્રિયા પર કોઈ આંચ નહીં આવવા દે. આ વાતની જાણ નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આપી હતી. કુલદીપ શર્માના આ કાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે.