મેરઠ( ઉત્તરપ્રદેશ): ઉત્તરપ્રદેશના મેરઠમાં 3 મહિનાથી ગૂમ મા-દીકરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ધર્મનો ભેદ ખુલવાના ડરના કારણે અને લગ્ન માટે વધતા જતા દબાણના કારણે આખરે પ્રેમી શમશાદે મા અને માસૂમ દીકરીને મારીને તેમના ઘરના આંગણામાં દફન કરી દીધા હતાં. પોલીસે બંને શબને કબ્જે કરીને હત્યા આરોપી શમશાદની ધરપકડ કરી લીધી છે. જોકે, હત્યાનો આરોપી શમશાદ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો અને પોલીસ પીએસી આરોપીની ઘર તોડવા પહોંચી હતી.
મેરઠના મોદીનગરની નિવાસી પ્રિયાના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, 2 વર્ષમાં જ તેમના ડિવોર્સ થઇ ગયા. ત્યારબાદ પ્રિયા તેમની માસૂમ દીકરી સાથે મોદીનગરમાં ચંચલના મકાનમાં ભાડે રહેતી હતી. પ્રિયાએ બ્યુટી પાર્લર પણ ખોલ્યું હતું.
લગભગ 5 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી પ્રિયાની દોસ્તી અમિત ગુર્જર નામના યુવક સાથે થઇ. બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. અમિતના બોલાવવાથી તે બાળકને લઇને મેરઠની કાંશીરામ આવાસીય કોલોનીમાં રહેવા લાગી. 2 વર્ષ પહેલા પ્રિયાને જાણ થઇ કે તેમનો પ્રેમી ખોટું નામ અમિત ગુર્જર રાખીને તેમની સાથે વિશ્વાસઘાત કરી રહ્યો છે. તેનું વાસ્તવિક નામ શમશાદ છે. પ્રિયાને હકીકતની જાણ થતાં આ મુદ્દે બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો.
શમશાદની માત્ર આટલી જ હકીકત ન હતી. શમશાદ મેરિડ પણ હતો. જો કે તે ખોટા નામનો સહારો લઇને પ્રિયાને જાળમાં ફસાવી ચૂક્યો હતો. તેની એક પછી એક પોલ ખુલતા બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. શમશાદની બધી હકીકત સામે આવી જતાં શમશાદે પ્રિયામાંથી છૂટવા માટે એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેમણે પ્રિયા અને તેના માસૂમ દીકરીની હત્યા કરી દીધી અને બંનેના મૃતદેહને ઘરના આંગણામાં જ ખાડો ખોદીને દફન કરી દીધા.
28 માર્ચ 2020માં પ્રિયા અને તેમની દીકરી કશિશ અચાનક ગૂમ થઇ જતાં તેમને 14 જુલાઇએ પ્રિયાના મકાન માલિકે શમશાદ વિરૂદ્ધ બંનેની ગૂમશુદાની ફરિયાદ કરી. પોલીસે ગુનો નોંધીને શમશાદની પૂછપરછ કરીને હત્યાનો ગૂનો કબૂલ કરાવ્યો. આરોપીના કબૂલનામા બાદ પોલીસ મંગળવારે મોડી રાત્રે તેમના ઘરે પહોંચી અને દફન કરેલી બંને લાશને બહાર કાઢીને પીએમ માટે મોકલી હતી.