મિર્ઝાપુરઃ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક જ સ્કૂલમાં નોકરી કરતા બે ટિચરોને એક જ યુવતી સાથે પ્રેમ થઇ ગયો. આ ટ્રાયએન્ગલ પ્રેમનો અંત બંન્નેના મોતથી થયોહતો. પોલીસે આ મામલાનો ખુલાસો કરતા એક આરોપીની ધરપકડ કરી હતી. જેણે આ ઘટના પાછળની કહાની જણાવી હતી.
ઘટના વિંધ્યાચલ પોલીસ ક્ષેત્રના રૈપુરી ગામની છે. અહી છેલ્લા દિવસોમાં કુવામાં મળેલા શિક્ષક સૂરજ પાંડેયની લાશ મામલે પોલીસે મંગળવારે ખુલાસો કર્યો હતો. પોલીસના મતે સૂરજને તેની સાથે જ સ્કૂલમાં ભણાવતા બે શિક્ષકોએ ગળું દબાવીને મારી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, સૂરજ, અનુજ અને રત્નેશ કુરૈઠીમાં આવેલી એક પ્રાઇવેટ સ્કૂલમાં ટિચર હતા. સૂરજ અને અનુજ સારા મિત્રો હતા. અનુજ ત્રણ વર્ષથી એક યુવતીના પ્રેમમાં હતો. તેણે પોતાની ગર્લફ્રેન્ડની સૂરજ સાથે મુલાકાત કરાવી હતી.
છેલ્લા લગભગ બે મહિનાથી એ યુવતીની સૂરજ સાથે પણ વાતચીત શરૂ થઇ ગઇ હતી. આ જાણકારી મળતા અનુજે પોતાના મિત્ર સૂરજને સમજાવ્યો પરંતુ તે માન્યો નહોતો.
અનુજે પોતાના સાથે રત્નેશની સાથે મળીને 11 ફેબ્રુઆરીએ સૂરજનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને લાશને કૂવામાં ફેંકી દીધી હતી.