Only Gujarat

National

અંધવિશ્વાસના ચક્કરમાં સગી બહેને બહેનનો જ પ્રાઇવેટ પાર્ટ કાપ્યો ને જીભ કાપી નાખી

ઝારખંડના ગઢવા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં આવીને એક મહિલાને તેની બહેન અને બનેવીએ બીભત્સ રીતે મોતને ઘાટ ઉતારી નાખી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના અંધશ્રદ્ધાના કારણે ઘટી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘર બનાવવામાં આવી રહેલી અડચણોને દૂર કરવા માટે આ મહિલાની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે આ ઘટના સંદર્ભે બે મહિલા સહિત સાત આરોપીઓની ધરપકડ કરી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં ગઢવા મોકલી દીઘા.


મળતી માહિતી મુજબ નગર ઊંટારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગીપુર ગામમાં તેની બહેન અને બનેવી દિનેશ ઉરાવે સાત દિવસ પહેલાં બહેન ગુડિયા પર તંત્ર સિદ્ધિનો પ્રયોગ કર્યો હતો. પહેલાં દિવસે તેણે ગુડિયાની જીભ કાપી નાખી. બીજા દિવસે મહિલાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાંખવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત થઇ ગયું હતું.


આ આખી ઘટનામાં મૃતક મહિલાનો પતિ પણ તેની સામે હાજર હતો, પરંતુ તેણે કશું કહ્યું નહીં. મૃતકના બહેન અને બનેવી લાશને તેના પિયર રાણકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતાં ખુરામાં લઈ ગયા હતા અને ત્યાં તેને સળગાવી દીધી હતી અને ચૂપચાપ તે ઘરે પાછા આવી ગયા હતા. આ ઘટના જ્યારે ઊંટારી પોલીસના ધ્યાને આવી ત્યારે પોલીસ મહિલાના ઘરે પહોંચી અને તેની પૂછપરછ હાથ ધરી હતી.


શ્રી બંશીધર નગર પોલીસ સ્ટેશનના એસડીપીઓ પ્રમોદ કુમાર કેસરીએ જણાવ્યું હતું કે, 21 જૂને એવા અહેવાલ આવ્યા હતા કે, ઊંટારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગીપુર ગામમાં બુશફાયરમાં મુન્ના ઉંરાવની પત્ની ગુડિયા દેવીની હત્યા કરવામાં આવી હતી. પુરાવા ભૂંસી નાખવા માટે રાંકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખુરા ગામમાં સ્થિત સ્મશાનગૃહમાં લાશને પણ સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળી હતી. એસએચઓ યોગેન્દ્ર કુમારે આ કેસની તપાસ કરી હતી અને મહિલાના પતિ મુન્ના ઉંરાવ, બહેન લલિતા દેવી, બનેવી દિનેશ ઉંરાવ સહિત 12 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.


આ પકડાયેલા આરોપીઓમાં મૃતક ગુડિયાની બહેન લલિતા દેવી, દિનેશ ઉંરાવ, સુરજી કુંવર, કુંદન ઉંરાવ, સૂરજ ઉંરાવ, પતિ મુન્ના ઉંરાવ અને રામશરણ ઉંરાવનો સમાવેશ થાય છે. બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસ દરોડા પાડી રહી છે. આ પકડાયેલાં આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં ગઢવા મોકલવામાં આવ્યા છે. એસડીપીઓએ જણાવ્યું હતું કે, નગર ઉંટારી, મેરાલ અને રાંકા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિવિધ સ્થળોએથી સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ મૃતકના મૃતદેહના સળગેલાં અવશેષો તપાસ માટે કબ્જે કરવામાં આવ્યા છે.

You cannot copy content of this page