નવી દિલ્હી: પ્રામાણિક અધિકારીઓ કોઈને પણ તેમની ફરજ આડે આવવા દેતા નથી. ખોટું કરનાર કોણ છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. આઈપીએસ સોનિયા નારંગ આવા જ એક પ્રામાણિક પોલીસ અધિકારી છે. તેમની સ્પષ્ટતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે જ્યારે લોકાયુક્ત વાય ભાસ્કર રાવના પુત્ર અને સંબંધીઓ પર વસૂલીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેમને નિષ્પક્ષ તપાસ માટે યાદ કરવામાં આવ્યા હતા. અને બધાને ખબર છે કે તેઓ કોઈની આગળ નમતા નથી . તેઓ દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરીને જ જંપશે. કર્ણાટકના લોકોને પણ સોનિયા નારંગ પર પૂરો વિશ્વાસ છે. રાજ્યના લોકો સીબીઆઈની તપાસ પર એકવાર સવાલ કરી શકે છે, પરંતુ નારંગની તપાસ પર નહીં.
ભાજપના નેતાને થપ્પડ મારવાથી ચર્ચામાં આવ્યા હતા
સોનિયા નારંગ હંમેશાં તેના કામ માટે સ્થાનિક મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. પરંતુ વર્ષ 2006 માં તેણીએ કંઈક એવું કર્યું કે તે અચાનક દેશભરમાં ચર્ચામાં આવી ગયા. તે સમયે સોનિયા દેવનગીરી જિલ્લાના એસપી હતા. અહીંના ચાર્જ સંભાળ્યાના થોડા સમય પહેલા જ કોંગ્રેસ અને ભાજપના બે મજબૂત નેતાઓ એક કાર્યક્રમ દરમિયાન એકબીજા સાથે લડી પડ્યા હતા .
આ બાબતની જાણ થતાં સોનિયા ઘટના સ્થળે પહોંચી ત્યારે ભાજપના નેતા રેણુકાચાર્ય તેમની સાથે રકજક કરવા લાગ્યા હતા. અને અભદ્રતા શરૂ કરી દીધી . અને તે પછી સોનિયાએ તેમને પાઠ ભણાવવા માટે જાહેરમાં થપ્પડ મારી દીધી. ઘણા દિવસો સુધી હોબાળો થયો, પરંતુ સોનિયાએ પીછેહઠ કરી નહીં. પાછળથી આ જ નેતા (રેણુકા) મંત્રી પણ બન્યા. નારંગનું તેની 13 વર્ષની નોકરીમાં કર્ણાટકના ઘણા મોટા શહેરોમાં પોસ્ટિંગ થયું હતું . આ સમય દરમિયાન, તે જ્યાં પણ ગઈ ત્યાં ગુનેગારોને ભાગવાની ફરજ પડી હતી. તેમનું અનેક વખત સન્માન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સમક્ષ પણ નમી ન હતી, કૌભાંડમાં આવ્યું હતું નામ
16 કરોડના ખાણ કૌભાંડમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આઈપીએસ સોનિયાના નામની પણ રજૂઆત કરી હતી. આ પછી રાજ્યના રાજકીય અને વહીવટી કોરિડોરમાં ખાસ્સો હંગામો થયો . મુખ્યમંત્રીએ આ કૌભાંડમાં સામેલ અધિકારીઓનાં નામ વિધાનસભા માં બહાર પાડતાં સોનિયા નારંગ પણ શામેલ હોવાનો દાવો કર્યો હતો.
આ ઘટના બાદ સોનિયાએ મુખ્યમંત્રીના આક્ષેપો સામે મોરચો ખોલ્યો અને ખુલ્લો વિરોધ કર્યો. તેમણે મુખ્યમંત્રીને પડકાર ફેંકતા કહ્યું કે, મારો અંતરાત્મા સાફ છે,તમે કોઈ પણ તપાસ કરાવી શકો છો,હું મારા પાર લગાવેલા બધા જ આરોપો નકારૂ છું . એમ પણ કહ્યું- હું આ આરોપો સામે કોઈ પણ કાયદાકીય લડત લડવા તૈયાર છું. તે સમયે, સોનિયાએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે બે-બે હાથ કરવાની પણ તૈયારી દર્શાવી હતી . આ પછી સોનિયા નારંગને આ કેસમાં ક્લીનચીટ પણ મળી ગઈ હતી.
કોણ છે સોનિયા નારંગ
સોનિયા નારંગ કર્ણાટકની 2002 ની બેચના આઈપીએસ અધિકારી છે જે તેની હિંમત અને કામ માટે જાણીતા છે. સોનિયાએ પંજાબ યુનિવર્સિટીમાંથી 1999 માં સમાજશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. સોનિયાના પિતા પણ ભારતીય વહીવટી સેવાના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે.