મુંબઈઃ ઘણીવાર સિરિયલમાં રોમાન્સ કરતાં-કરતાં એક્ટર્સ રિઅલ જિંદગીમાં પણ એકબીજાને દીલ આપી બેસે છે અને પછી સ્ક્રીન પર જોવા મળતી જોડી રિઅલ લાઇફમાં બની જાય છે, પણ ક્યારેક-ક્યારેક કહાણી ફિલ્મી હોય છે બિલકુલ સ્ટાર પ્લસની ફૅમસ સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના એક્ટર સંજીવ શેઠ અને એક્ટ્રસ લતા સભરવાલ જેવી. કદાચ તમે જાણીને હેરાન થશો કે સંજીવ શેઠે લતા સભરવાલ સાથે લગ્ન કરવા માટે પોતાની પહેલી પત્ની પાસે મંજૂરી માગી હતી.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સંજીવ શેઠ અને લતા સભરવાલે પતિ-પત્નીનો રોલ પ્લે કર્યો હતો, પણ આ રોલ પ્લે કરતાં-કરતાં બંને એકબીજાને દીલ આપી બેઠા હતાં. બંનેનું મિલન એટલું સરળ રહ્યું નહોતું. સંજીવ શેઠ પહેલાંથી પરિણીત હતો અને તેમને બે બાળકો પણ છે.
સંજીવના પહેલાં લગ્ન એક્ટ્રસ રેશમા ટિપનિસ સાથે થયાં હતાં. આ બંનેની ઉંમરમાં 12 વર્ષનો ફેર હતો. રેશમાની ઉંમર ત્યારે માત્ર 20 વર્ષની હતી, ત્યારે તેમણે સંજીવ સાથે લગ્ન કર્યાં હતાં. થોડાં દિવસ બંને સાથે રહ્યાં પછી મતભેદ શરૂ થઈ ગયાં હતાં. 11 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયાં હતાં.
લતા સભરવા સાથે પ્રેમ થયાં પછી સંજીવ શેઠે ઘણાં દિવસો સુધી તેમને પ્રપોઝ કર્યું નહીં. સંજીવને ડર હતો કે, ક્યાંક આની અસર તેમના પ્રેમ પર ન પડે. એટલા માટે તેમણે એક આઇડિયા વિચાર્યો. લતાને પ્રપોઝ કરતાં પહેલાં તેમણે આ અંગે તેમના દીકરા અને પહેલી પત્નીને વાત કરી અને એમની પાસે બીજા લગ્ન કરવાની મંજૂરી માગી.
સંજીવનો આ વ્યવહાર જોઈ તેમનો પરિવાર ખૂબ જ ખુશ થયો. આ પછી સંજીવે લતાને પ્રપોઝ કર્યું. બંનેના લગ્નમાં તેમની પત્નીએ મદદ પણ કરી. આ રીતે સંજીવ અને લતા એકબીજાના થઈ ગયાં. વર્ષ 2010માં બંનેના લગ્ન થઈ ગયાં. ત્યારથી બંને એકબીજા સાથે સુખી જીવન જીવી રહ્યાં છે.