‘રામાયણ’ને લઈને ટીવીની આ અભિનેત્રીને ટ્વિટ કરવું ભારે પડ્યું? કારણ જાણીને તમે પણ આ અભિનેત્રીને….
મુંબઇઃ 80ના દાયકાની રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરીથી શરૂ થવા પર ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે ટ્વિટ કરી લોકોએ તેને ટ્રોલ કરી હતી. લોકોએ તેને ટ્રોલ કરતા કવિતાએ ફરીવાર રામાયણ પર ટ્વિટ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ વખતે રામાયણ જોનારાઓને કવિતાએ સ્વાર્થી કહ્યા હતા.
કવિતાએ ટ્વિટમાં લખ્યું કે, પ્રભુ અમારા જેવા મૂર્ખાઓ અને સ્વાર્થી લોકોને માફ કરજો. અમને તમારી સીરિયલ જોવાની યાદ ત્યારે આવી જ્યારે આ મહામારી આવી. નહી તો અમે તો ખુશી ખુશી બિગ બોસ અને રોડીઝમાં ડૂબ્યા હતા. કવિતાનું આ ટ્વિટ કેટલાક લોકોને પસંદ આવ્યું તો કેટલાક લોકોને નહીં. આ ટ્વિટર પર કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી.
કવિતા આ ટ્વિટમાં ટ્રોલર્સ પર કટાક્ષ કરી રહી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનના કારણે તમામ સીરિયલ્સનું શૂટિંગ્સ બંધ કરાયું છે. ઘરમાં બંધ લોકો માટે સારા મનોરંજનના ઉદેશ્યથી અનેક સીરિયલ્સનું પ્રસારણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રામાયણ, મહાભારત સિવાય અનેક સીરિયલ્સ સામેલ છે.
‘રામાયણ’નું પ્રસારણ ફરીથી 33 વર્ષ પછી થયું છે. આ શોના પ્રસારણ બાદ કવિતાએ ટ્વિટ કર્યું હતું ત્યારબાદ વિવાદમાં ફસાઇ ગઇ હતી. આ ટ્વિટમાં કવિતાએ રામાયણ અને એડલ્ટ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. કવિતાએ કહ્યું હતુ કે પોતે તો પાર્લામેન્ટમાં એડલ્ટ ફિલ્મો જોવો છો અને અમને રામાયણ ફિલ્મ જોવાનું કહી રહ્યા છે.
કવિતાએ આ ટ્વિટ બાદ વીડિયો જાહેર કરી સ્પષ્ટતા આપી હતી પરંતુ ટ્રોલર્સ માન્યા નહોતા. કવિતાના સમર્થનમાં બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ આવી હતી. સ્વરાએ કહ્યુ કે, આગળ વધો કવિતા, આ ટ્રોલર્સ ગુનાહિત વૃતિના છે. તું આ રીતે ચમકતી રહે.