હળવદ તાલુકાના ઘનશ્યામનગર, નવા ધનાળા ગામ પંચાયતના નવા વરાયેલા મહિલા સરપંચ, ઉપસરપંચ ગામના વિકાસ કરવાની નેમ સાથે ઉમેદવાર જાહેર કર્યા હતા. ત્યારે આવનાર દિવસોમાં નવા ધનાળા ગામની કાયાપલટ થશે તેમ મહિલા સરપંચે જણાવ્યું હતું.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામ નગર (નવા ધનાળા)ના વડીલો અને યુવાનોએ સરપંચ તરીકે નિમિષાબેન સતિષભાઈ તારબુંદિયાને બિનહરિફ ચૂંટણી કરીને સમરસ પંચાયત જાહેર કરવામાં આવી આવનારા સમયમાં આપણું ગામ વધુ વિકસિત બને અને એકતા અવિરતપણે જળવાઈ રહે એ માટે પ્રયાસો કરવામાં આવશે.
આ અંગે નવ નિયુક્ત સરપંચ નિમિષાબેન તારબુદીયા જણાવ્યું હતું કે ગામ લોકો એ મારા પર વિશ્વાસ મુકી ને મને સરપંચ પત્ની આપી શકે ગામ લોકોના તમામ લોકોને વિશ્વાસ રાખીને ગામનો વિકાસ કરી ગામ લોકોનો વિશ્વાસ એળે નહીં જવા દવ અને ગામ નો વિકાસ કરીશ કાયાપલટ કરીશ તેમ જણાવ્યું હતું. સરપંચ તરીકે નિમિષાબેન સતિષભાઈ તારબુંદિયા, ઉપસરપંચ તરીકે અનસોયાબેન નરસીભાઈ કણઝરિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.ૃ