Only Gujarat

FEATURED National

ઘરે એકલા પડે ત્યારે સસરા-વહુ કામાંધ બનીને કરતા ‘જલસા’, દીકરા સાથે કર્યું એવું કે…

પંજાબઃ આજના કળિયુગમાં વ્યક્તિઓ વાસનામાં એ હદે અંધ બની જાય છે કે તેઓ સંબંધોનું માન સન્માન પણ ભૂલી જાય છે. પંજાબના માનસાના ગામ મૂસામાં હાલમાં જ સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો હતો. અહીંયા પુત્રવધુએ સસરા સાથે સંબંધો બાંધ્યા હતા.

કામાંધ બન્યો સસરોઃ સસરા અને વહુ પોતાની વાસનામાં એ હદે કામાંધ બન્યા હતા કે વહુને પતિ અને સસરાને સગો દીકરો આડખીલી રૂપ લાગવા લાગ્યો હતો. સગા બાપે પુત્રવધૂ સાથે મળીને દીકરાની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી હતી.

આટલું જ નહીં બંનેએ ગુપચુપ રીતે અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ કરીને બંનેની ધરપકડ કરી છે. માનસા ગામના મૂસાના 25 વર્ષીય યુવક જગજીત સિંહના પિતા ભોલા સિંહ અને તેની પત્ની જસપ્રીત કૌર વચ્ચે નાઝાયદ સંબંધો હતા. બંને પોતાના સંબંધોમાં જગજીતને બાધારૂપ સમજતા હતા.

આ જ કારણે બંને એક પ્લાનિંગ કરીને રાતના સમયે ધારદાર હથિયારથી તેની હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં પુરાવાનો નાશ કરવા માટે જગજીતના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને બંનેની ધરપકડ કરી હતી.

માનસાના એસએસપી સુરેન્દ્ર લાંબાએ કહ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે મૂસા ગામમાં રહેતા જગજીત સિંહની હત્યા પિતા તથા પત્નીએ સાથે મળીને કરી હતી. તેમની પર બંધારણની 302 કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. વધુમાં સુરેન્દ્ર લાંબાએ કહ્યું હતું કે પોલીસને માહિતી મળે ત્યાં સુધી બંનેએ મૃતકના અંતિમ સંસ્કાર સુદ્ધા કરી નાખ્યા હતા, જેથી પુરાવા મળે નહીં.

You cannot copy content of this page