બળદ પડ્યા બીમાર, ગરીબ પરિવારના બંન્ને પુત્રોએ આવી રીતે ખેડ્યું ખેતર, જુસ્સાને સલામ
મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક ખેડૂતની લાચારીની તસવીરો સામે આવી છે. મજબૂરીમાં આ ખેડૂતને ખેતરમાં વાવણી માટે બે પુત્રને બળદની જગ્યાએ હળમાં જોડવા પડ્યા. ખેડૂતનું કહેવું છે કે ગરીબીમાં બળદ બીમાર પડ્યા બાદ તેમની પાસે એટલા પૈસા નથી કે તેઓ બળદની સારવાર કરાવી શકે. લોકડાઉનના કારણે તેમની શાકભાજીનો પાક ખરાબ થઇ ગયો જેનાથી તેઓને ભારે નુકશાન થયું છે.
છિંદવાડામાં શાકભાજીનો પાક ખરાબ થયા બાદ ખેડૂતોને ખુબ જ નુકશાન થયું છે ત્યારબાદ મજબૂરીમાં છિંદવાડાના સાંવલે વાડીમાં રહેતા ખેડૂત જયદેવ દાસે પોતાના પુત્રોને બદળની જગ્યાએ જોડવા પડ્યા. ખેડૂત બીજા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યાં છે. ખેડૂત જયદેવ દાસે જણાવ્યું કે તેમની પાસે બે બળદ છે પરંતુ એક બળદ બીમાર થઇ ગયો હતો અને બળદની સારવાર કરાવી શકે અથવા નવો બળદ ખરીદી શકે તેટલા તેમની પાસે પૈસાન નથી.
આવી સ્થિતિમાં તેઓએ પોતાના પુત્રોને જ બળદની જગ્યાએ જોડ્યા કારણ કે ખેતરમાં ફરીથી વાવણી કરવાની હતી. તો આ ખેડૂતના પુત્રોનું કહેવું છે કે અમારી આર્થિક સ્થિતિ ખરાબ છે અને પાક પણ બરબાદ થઇ ગઇ છે. બજારમાં શાકભાજી વેચાઇ રહી નથી જેના કારણે ખુબ જ નુકશાન થયું છે. આથી જાતે જ હળમાં બળદ બની ખેતર ખેડી રહ્યાં છીએ.
ખેડૂત જયદેવની પાસે બે એકર જમીન છે જેમાંથી શાકભાજી ઉગાડી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ખેડૂત જયદેવ દાસના બે પુત્રો છે એકનું નામ રાજેશ અને બીજાનું નામ દેવ છે. બંને પુત્રો મજૂરી કરી છે અને પિતાની સાથે ખેતરમાં કામ પણ કરે છે.
ખેડૂત જયદેવ દાસની જમીન નગર નિગમ વિસ્તારમાં છે. તો આ મામલામાં નગર નિગમ કમિશ્નર રાજેશ શાહીનું કહેવું છે
શહેરી વિસ્તારમાં તેમની અંદાજે અઢી એકર જમીન છે અને પાક્કુ મકાન છે. જો કે લોકડાઉનના કારણે શાકભાજી વેચાઇ રહી નથી જેના કારણે તેમની સામે આર્થિક સંકટ આવ્યું છે.