Only Gujarat

Bollywood TOP STORIES

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલના આ વ્યક્તિનું થયું નિધન, રવિવારે કરાયા અંતિમ સંસ્કાર

મુંબઈ: જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના સેટ પર હાલ શોકનો માહોલ જોવા મળ્યો હતો. સીરિયલના એક સભ્યનું મોત થતાં ખુશીનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું હતું. આનંદ પરમારનું નિધન થતાં જ સીરિયલની આખી ટીમને શોક લાગ્યો હતો તેવું મીડિયો સુત્રોમાં જાણવા મળ્યું હતું.


Image Source

છેલ્લા 15 દિવસથી આનંદ પરમાર બિમાર હતાં. 8 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું હતું. ત્યાર બાદ રવિવાર સવારે કાંદિવલી વેસ્ટમાં આવેલા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સીરિયલના સભ્યો આનંદ પરમારને પ્રેમથી આનંદ દાદા કહીને બોલાવતાં હતાં તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું.

Image Source

આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ સીરિયલ સાથે જોડાયેલા હતાં. આનંદ પરમાર સીરિયલના પાત્રો ભજવનાર તમામ લોકોનો મેકઅપ કરતા હતા. સીરિયલનના સભ્યો માટે તેઓ ઘરના એક સભ્ય સમાન હતા. તેમના નિધનના સમાચાર મળતાં જ રવિવારે સીરિયલનું શૂટિંગ રદ્દ કરવામાં આવ્યું હતું તેવું જાણવા મળ્યું હતું.

આનંદ દાદાના નિધનથી દુઃખી થયેલી અભિનેત્રી મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુનમુને લખ્યું હતું કે, આજે અમે અમારા સૌથી વરિષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ ગુમાવ્યા છે. આનંદ દાદા પહેલા વ્યક્તિ હતા જેમને હું ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના ઓડિશન વખતે મળી હતી. તેઓ ઉમદા, પ્રેમાળ અને સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. હું તેમની સાથે જીવન, પ્રેમ, લગ્ન, બીમારી, સર્જરી, સમસ્યાઓ વગેરે જેવા વિષયો પર ચર્ચાં કરતી હતી. તમને હંમેશા યાદ કરીશું દાદા. તમારું સ્થાન કોઈ વ્યક્તિ લઈ શકશે નહીં. તમારી આત્માને શાંતિ મળે.

મુનમુન દત્તા વધુ એક સ્ટોરીમાં આગળ લખ્યું હતું કે, જણાવું કે આનંદ દાદા તેમના ફિલ્ડમાં સૌથી સીનિયર વ્યક્તિ હતા. નીલા ટેલિફિલ્મ્સના અગાઉના તમામ પ્રોજેક્ટ્સનો તેઓ હિસ્સો રહ્યાં હતાં. તેઓ આસિત મોદી સર સાથે લાંબા સમયથી કામ કરતાં હતા. હું ગર્વ અનુભવી રહી છું કે મને તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. અમે તેમને હંમેશા પ્રેમ અને સન્માન આપ્યું છે. તમારી આત્માને શાંતિ મળે દાદા.”

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કોમલભાભી એટલે અંબિકાએ પણ આનંદ દાદાની તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંબિકાએ લખ્યું હતું કે, આનંદ દાદા, તમારી આત્માને સદગતિ મળે. સીનિયર મેકઅપ મેન…ખૂબ મહેનતુ, પ્રેમાળ અને હંમેશા ખુશ રહેતા…”

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page