મુંબઈ: બોલિવૂડની ડ્રામા ક્વિન એકતા કપૂર શુક્રવારે મુંબઈના જુહુ સ્થિત શનિ મંદિરે દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન એકતા કપૂર વ્હાઈટ શર્ટ અને ખુલ્લા વાળમાં નજર આવી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ એકતા કપૂર જેવી મંદિર બહાર નીકળી તો તેણે તરત માથા પર લાગેલું તિલક ભૂંસી નાંખ્યું હતું. આ પછી એકતા કપૂરે મીડિયા સામે તસવીરો ખેંચાવી હતી.
દર્શન બાદ એકતા કપૂર દ્વારા બાદ તિલક ભૂંસી નાખ્યાની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે. સોશ્યલ મીડિયા પર યુઝર્સ એકતાને વખોડી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર એક દર્શકે લખ્યું કે, ‘‘ફોટો ખેંચાવા માટે માથા પરનું તિલક ભૂંસી નાખ્યું. ભગવાનના ઘરે આવીને અનાદર કર્યો છે.’’
નોંધનીય છે કે એકતા કપૂર અવારનવાર જુહુ સ્થિત શનિ મંદિરે દર્શન કરવા આવે છે. તે ઘણી વખત પિતા જીતેન્દ્ર સાથે પણ આવે છે. 44 વર્ષીય એકતા કપૂરને ‘ક્વિન ઓફ ઈન્ડિયા ટેલિવિઝન’ના નામથી ઓળખવામાં આવે છે.
બાલાજી ટેલિફિલ્મ્સની જોઈન્ટ ડિરેક્ટર એકતા કપૂરનો હાલ ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં ડંકો વાગે છે. તેણે ALTBalaji એપ દ્વારા 40થી વધુ વેબ સીરિઝ પણ લોન્ચ કરી છે.