કોરોનાવાઈરસના વધતા જતા કેસ બાદ 17 મે પછી પણ લંબાવાશે લૉકડાઉન, શું કહ્યું મોદીના મંત્રીએ?
કોરોના વાયરસને કારણે દેશભરમાં બે વાર લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે,કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા હજી પણ વધી રહી છે. આગળ પણ લોકડાઉન વધારવું જોઇએ કે નહી તે અંગે પણ સરકાર મંથન કરી રહી છે. એક વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષ વર્ધન દ્વારા આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડો.હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસને કારણે લોકડાઉન આગળ વધશે કે નહીં, તે ઘણી બાબતો જોયા પછી નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યુંકે, પ્રધાનમંત્રી આ અંગે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. તેઓ તેમની સાથે સતત વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રીઓ દ્વારા રાજ્યોનું વિશ્લેષણ પીએમ સુધી પહોંચશે, ત્યારે તે આ અંગેના નિષ્ણાતોનો અભિપ્રાય લેશે.
નિષ્ણાંતોની સલાહ લીધા બાદ જ લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ એમ પણ કહ્યું કે પીએમ મોદી દેશના 135 કરોડ લોકોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે. લોકડાઉન વધશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય ફક્ત 16મેના રોજ આવશે.
હવે દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,000 ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 19,00થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ડો.હર્ષવર્ધને પણ કોરોના વાયરસથી થયેલાં લોકડાઉનને ધીમે ધીમે હટાવવાનો ઉલ્લેખ કર્યો છે.