Only Gujarat

National

પ્રેમી માટે મા-બાપને તરછોડી દીધા, લગ્ન કર્યા… પણ ના ઓળખી શકી પતિનું અસલી સ્વરૂપ

રાજસ્થાનના જયપુરની રેશમા મંગલાની ઉર્ફે નૈનાની હત્યા કરનારા તેના આરોપી પતિ અયાઝની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, નૈના સાથે તેની મુલાકાત કેવી થઈ હતી. આરોપીએ જણાવ્યું કે, ” જુલાઈ 2017માં રેશમા એક ફાઇનાન્સ કંપનીમાં ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આવી હતી. ત્યારે મારી તેની સાથે પહેલીવાર મુલાકાત થઈ હતી. આ પછી એક બે દિવસમાં અમે ફરી બીજીવાર મળ્યા હતાં. ધીરે-ધીરે ફ્રેન્ડશીપ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. લગભગ 4 મહિના અફેર ચાલ્યું હતું. આ પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પણ, રેશમાના ઘરવાળા તૈયાર નહોતાં. રેશમા મને ખૂબ જ પ્રેમ કરતી હતી. હું જે કહું તે વાત માનતી હતી. તે મારા માટે તેના માતા-પિતાને છોડીને મારી સાથે ગાઝિયાબાદ આવી ગઈ હતી. ઑક્ટોબર 2017માં અમે લવ મેરેજ કર્યાં હતાં.”

” ઓક્ટોબર 2017માં ગાઝિયાબાદમાં અમે બંનેએ આર્ય સમાજમાં લગ્ન કર્યા હતાં. અમે પહેલાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ 7 ફેરા લીધા હતાં. આ પછી નિકાહ કર્યાં હતાં. થોડાક દિવસ પછી અમે જયપુર આવી ગયા હતાં. આ પછી રેશમાએ ગમે તેમ કરીને તેના માતા-પિતાને મનાવ્યા હતાં. ”

બે વર્ષ પહેલાં અયાઝ સાથે લવ મેરેજ કરનારી રેશમાએ પહેલીવાર ઓક્ટોબર 2018માં કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. લાલ રંગની ચુંદડી અને પૂજાની આરતી હાથમાં રાખી તેણે ફેસબુક પર ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, ” મારી પહેલી કરવા ચોથ, ફિલિંગ હેપ્પી.” પણ, પછી બંને વચ્ચે એટલી દૂરી વધી ગઈ કે, અયાઝે બેરહમીથી રેશમાની હત્યા કરી દીધી હતી.

લગ્ન પછી અયાઝ તેની પત્ની રેશમા સાથે તેમના ઘરે જ રહેતી હતી. પણ એક-બે મહિના પછી બંનેમાં રોજ કોઈને કોઈ વાતને લીધે ઝઘડો થતો હતો. આ દરમિયાન અયાઝની નોકરી પણ છૂટી ગઈ હતી અને વિવાદ પણ વધી ગયો હતો. આ પછી અયાઝ એક ફૂડ કંપનીમાં કામ કરવા લાગ્યો હતો. ત્યાં પણ તેને નોકરી છોડી દીધી અને રેશમાને છોડીને અલગ રહેવા લાગ્યો હતો.

રેશમાને અયાઝ ઘણીવાર માર પણ મારતો હતો. લગ્નના થોડાક મહિના પછી પતિનો અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો. રેશમાએ જેને દિલ અને માતા-પિતાથી વધુ પ્રેમ કર્યો તે તેના પર શંકા કરતો હતો.

પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ કહ્યું કે, ” રેશમાના ફેસબુક પર 6 હજારથી વધારે ફોલોઅર્સ થઈ ગયા હતાં. તે સોશિયલ મીડિયા પર તેના ફોટો શેર કરી રહી હતી. બસ આ વાતથી હેરાન થઈને પતિ અયાઝે તેની પત્નીને મારી નાખી હતી. તેમને લાગતું હતું કે, રેશમાનું બીજા જોડે ચક્કર ચાલી રહ્યું છે. ”

આરોપીએ રવિવાર બપોરે રેશમાને મળવા બોલાવી હતી. જ્યાં બંને આખો દિવસે સાથે ફર્યા અને સાથે લંચ પણ કર્યું હતું. આ પછી આરોપીએ રાતના સમયે રેશમાને બિયર પીવડાવ્યું અને ખુદ પણ દારૂ પીધો હતો. આ પછી રાતે આમેર વિસ્તારમાં જયપુર દિલ્હી હાઇવે પર નઈ માતા મંદિર પાસે સૂમસામ જગ્યાએ રેશમાનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

એટલું જ નહીં બાળકને જન્મ થયા પહેલાં રેશમા અને અયાઝે બેબી બંપનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું. રેશમાની હત્યાના બે દિવસ પહેલાં પોતાના દીકરા સાથે રમતો ફોટો પણ શેર કર્યો હતો.

You cannot copy content of this page