સફળ હોવા છતાંય ટીવીના આ કલાકારો વસી ગયા વિદેશમાં, કોઈ છે અમેરિકામાં તો કોઈ નોર્વેમાં
મુંબઈઃ અભિનયની દુનિયામાં દરેક સફળ કરિયરની આશા લઈ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. સેલેબ્સ તેમના કરિયરને સફળ બનાવવા માટે તમામ મહેનત કરે છે. જોકે, કેટલાંક સ્ટાર તેમાં સફળ થઆય છે તો કેટલા ફેલ પણ થાય છે પણ, કેટલાક લોકો એવા પણ છે ઇન્ડસ્ટ્રીમાં સફળ કરિયર હોવા છતાં સિનેમાથી દૂર જતાં રહે છે. એવામાં કેટલાક સ્ટાર તેમની સફળ એક્ટિંગ કરિયરને છોડી વિદેશમાં વસી ગયા છે.
સંગ્રામ સિંહઃ સ્ટાર પ્લસની ટીવી સિરીયલ ‘યે હૈ મહોબ્બત્તે’ના દરેક રોલની ફોલોઈંગ ખૂબ જ હતી. સિરીયલમાં અશોકનો નેગેટિવ રોલ સંગ્રામ સિંહે પ્લે કર્યો હતો પણ, થોડાં સમય પછી સંગ્રામ સિંહે આ ટીવી સિરીયલને અલવિદા કહી દીધું હતું. જેનાથી તેમના ફેન્સનું દિલ તૂટી ગયું હતું. પછી માહિતી મળી કે, સંગ્રામ તેમના લગ્નના થોડાં મહીના પછી નોર્વેમાં શિફ્ટ થઈ ગયા હતાં. સંગ્રામની પત્ની ગુરકિરન કૌર VAT કન્સલટન્ટ તરીકે કામ છે. સંગ્રામ અત્યારે નોર્વેમાં બિઝનેસ કરે છે.
મિહિકા વર્માઃ ટેલિવિઝન શૉ ‘યે હૈ મહોબ્બતે’માં મિહિકાનો રોલ પ્લે કરનાર અભિનેત્રી મિહિકા વર્માએ અચાનક શૉને અલવિદા કહી દીધુ હતું. તેમના ફેન્સ સમજી શક્યા નહોતા કે તેમને અચાનક કેમ આવું કર્યું. થોડાં સમય પછી મિહિકાના લગ્નના ફોટો સામે આવ્યા, જેમાં ખબર પડી કે મિહિકાએ લગ્ન કર્યા હોવાથી આ શૉને અલવિદા કહી દીધુ હતું. અત્યારે મિહિકા તેના પતિ સાથે અમેરિકામાં પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે.
સૌમ્યા શેઠઃ ટેલિવિઝનની નાવ્યા એટલે કે અભિનેત્રી સૌમ્યા શેઠ ટીવી જગતની પોપ્યુલર અભિનેત્રીઓમાંથી એક છે. સૌમ્યાએ તેના કરિયરમાં ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ અને ‘દિલ કી નજર સે ખુબસૂરત’ જેવી સિરીયલમાં કામ કર્યું છે પણ, સૌમ્યા એક્ટિંગ છોડી વિદેશ જતી રહી અને ત્યાં વસી ગઈ. સૌમ્યા શેઠે તેના બોયફ્રેન્ડ અરુણ કપૂર સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તે પતિ સાથે અમેરિકા રહેવા જતી રહી હતી.
સેલિના જેટલીઃ બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલીએ પણ તેના અભિનયની સફળ સારી રીતે શરૂ કરી હતી, પણ તેમને કરિયરની સફરને છોડી દીધુ અને વિદેશમાં જઈ ત્યાં વસી ગઈ. સેલિનાએ વર્ષ 2011માં પીટર હૈગ સાથે લગ્ન કરી લીધા. જે પછી બંને વિદેશમાં જઈ વસી ગયાં. સેલિના અત્યારે ત્રણ બાળકોની મા છે.