Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે આ મજુરનું શું છે કનેક્શન? જાણીને તમને નવાઈ લાગશે

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાદ સોશિયલ મીડિયા પર એક પછી એક ફેક ન્યૂઝનો મારો ચાલી રહ્યો છે. આ ચક્કરમાં ઇન્દોરના એક મજુર પરેશાન થઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઇંદોરની રહેવાસી છે. અંકિતાના નામથી ફેસબૂક પર એક ફેક પ્રોફાઇલ બનેલી છે. આ ફેક પ્રોફાઇલમાં એક 20 વર્ષિય મજુર પરેશાન થઇ રહ્યાં છે.

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાદ સોશિયલ મીડિયા પર એક પછી એક ફેક ન્યૂઝનો મારો ચાલી રહ્યો છે. આ ચક્કરમાં ઇન્દોરના એક મજુર પરેશાન થઈ ગયા છે. સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે ઇંદોરની રહેવાસી છે. અંકિતાના નામથી ફેસબૂક પર એક ફેક પ્રોફાઇલ બનેલી છે. આ ફેક પ્રોફાઇલમાં એક 20 વર્ષિય મજુર પરેશાન થઇ રહ્યાં છે.

મામલાની તપાસ કરી રહેલી પોલીસની સાઇબર સેલની ટીમનું કહેવું છે કે ઓળખની ગફલત સાથે જોડાયેલા આ પરેશાનીનું કારણ દિવંગત અભિનેતાની પૂર્વ પ્રેમીકા અને અભિનેત્રી અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલી ફેક ફેસબૂક પેજ છે જેના પર આ મજુરનો મોબાઇલ નંબર દર્શાવવામાં આવ્યો છે.

રાજ્ય સાઇબર સેલની ઇંદોર ઇકાઇના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે અવાર નવાર અજાણ્યા ફોન કોલથી કંટાળી મજુરે પોલીસને આ મામલે ફરિયાદ કરી છે. મજુરની ફરિયાદના આધારે જણાવવામાં આવ્યું કે ફેસબૂક પર અંકિતા લોખંડેના નામથી એક ફેક પેઝ છે જેના પર અબાઉટ સેક્શનમાં મજુરનો મોબાઇલ નંબર દાખલ કરવામાં આવ્યો છે.

મજુરે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી મજુરના મોબાઇલ પર ફોન પર દરરોજ અનેક કોલ આવી રહ્યાં છે. કેટલાક લોકો કોલ દરમિયાન મજુરનો પરિચય જાણ્યા બાદ ફોન કાપી નાખે છે જ્યારે કેટલાક કોલર ફોન ઉઠાવતા જ રાજપૂતની આત્મહત્યાને લઇને પોતાનો ગુસ્સો જાહેર કરવા લાગે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે અંકિતા લોખંડેના નામથી બનાવવામાં આવેલા ફેસબૂક પેજના 40 હજારથી વધુ ફોલોઅર્સ છે. અમે હકિકત જાણવા માટે મેસેન્જરથી આ પેજના સંચાલકને મેસેજ કર્યો છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ જવાબ આવ્યો નથી. તેઓએ જણાવ્યું કે અમે ફેસબૂકના માધ્યમથી તપાસ કરીશું કે આ પેજ કોઇ હેન્ડલ કરી રહ્યું છે ત્યારબાદ મજુરની ફરિયાદ પર તપાસ બાદ પગલા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે ઇંદોરની રહેવાસી હતી. બંનેના ડિસેમ્બર 2016માં લગ્ન થવાના હતા પરંતુ એ પહેલા બંનેનું કોઇ વાત પર બ્રેકઅપ થઇ ગયું અને સુશાંત સિંહ રાજપૂતનો ઇંદોર સાથેનો સંબંધ તૂટી ગયો હતો. 34 વર્ષિય સુશાંત સિંહ રાજપૂતે મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં 14 જુને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page