Only Gujarat

Bollywood

બહેનને લઈ ફૅક ન્યૂઝ ચલાવનાર પર અક્ષય થયો ગુસ્સો, કહી આ મોટી વાત

મુંબઈ: દેશમાં કોરોના સામેના જંગમાં અભિનેતા અક્ષય કુમાર કરોડોનો દાન-ફાળો આપી રહ્યો છે. આ મહામારીમાં જરૂર પડ્યે અક્ષય કુમાર પોતાના પરિવારજનો પર પણ પૈસા વાપરવામાં પાછી પાની નથી કરી રહ્યો.  સોશિયલ મીડિયામાં ચર્ચા થતી હતી કે લોકડાઉનના ચોથા રાઉન્ડમાં હવાઈ યાત્રા શરૂ થતાં જ બહેન અને તેના બાળકોને મુંબઈથી દિલ્હી મોકલવા માટે અક્ષય કુમારે આખું પ્લેન બૂક કરાવી લીધું હતું. અભિનેતા અક્ષય કુમારે આવું પોતાની બહેન અને તેના પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા માટે કર્યું હતું. જોકે, હવે અક્ષયે આના પર જડબાતોડ જવાબ આપ્યો છે.


અક્ષયે ટ્વીટ કરીને કહ્યું હતું, આ ન્યૂઝ શરૂઆતથી લઈ અંત સુધી ખોટા છે. મારી બહેનને બે બાળકો નહીં પણ એક જ બાળક છે. મારી બહેને લૉકડાઉનમાં ક્યાંય મુસાફરી કરી નથી. લીગલ એક્શન લેવાનું વિચારી રહ્યો છું. ખોટાં ન્યૂઝ ફેલાવવાની હદ થઈ ગઈ છે. ફૅક રિપોર્ટ.

પહેલાં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં એવી ચર્ચા ઉડી હતી કે એક અભિનેતાએ પોતાના પરિવારજનો માટે મુંબઈથી દિલ્હી માટે આખું પ્લેન બૂક કરાવ્યું છે.

અક્ષય કુમારની બહેન પણ ભાભી ટ્વિંકલની જેમ પ્રોડ્યૂસર છે. તેણે અક્ષયની ઘણી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે.

દેશમાં લોકડાઉનના ચોથા રાઉન્ડમાં આ સપ્તાહે હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ છે. આવી જ એક ફ્લાઈટ ભોપાલથી દિલ્હી માટે બે દિવસે પહેલા બૂક કરાવવામાં આવી હતી. જેમાં એક વેપારીએ પ્લેનની બધી સીટો પોતાની દીકરી અને બાળકો અને સ્ટાફ માટે બૂક કરાવી લીધી હતી.

You cannot copy content of this page