Only Gujarat

Bollywood FEATURED

કિન્નરોએ રસ્તા વચ્ચે વરરાજા આદિત્ય નારાયણની રોકી કાર ને લીધી નવી નક્કોર 500-500ની થોકડી!

મુંબઈઃ બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પિતા ઉદિત નારાયણના 65મા જન્મદિવસ પર લગ્ન કર્યાં હતાં. આદિત્યે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે ઈસ્કોન મંદિરમાં લગ્ન સાત ફેરા ફર્યાં હતાં. શ્વેતા તથા આદિત્ય 12 વર્ષ પહેલાં ફિલ્મ ‘શાપિત’ના સેટ પર મળ્યાં હતાં. કોવિડ 19ને કારણે લગ્નમાં 50 જ મહેમાનો હાજર રહ્યાં હતાં.

આદિત્ય તથા શ્વેતાએ મુંબઈના જુહૂમાં આવેલા ઈસ્કોન મંદિરમાં ફેરા ફર્યાં હતાં. આદિત્ય તથા શ્વેતાએ મેચિંગ કલરના આઉટફિટ પહેર્યાં હતાં. શ્વેતા ગોલ્ડન કલીરેમાં જોવા મળી હતી. આદિત્યે ચાર વાગે જાન લઈને નીકળ્યો હતો અને છ વાગે લગ્ન કર્યાં હતાં.

આદિત્ય પોતાના ઘરેથી ઈસ્કોન મંદિર તરફ જતો હતો ત્યારે સિગ્નલ પર તેની કાર ઊભી રહી હતી. જ્યારે તેની કાર ઊભી રહી ત્યારે ત્રણથી ચાર કિન્નરો તેની કારને ઘેરી વળ્યા હતા અને પૈસા માગ્યા હતા. આદિત્યે 500ની નવી નોટો કિન્નરોને આપી હતી. જોકે, આદિત્યે કેટલા રૂપિયા આપ્યા તે ખ્યાલ નથી. પૈસા મળ્યા બાદ કિન્નરોએ આદિત્યને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા હતા.

આદિત્ય જ્યારે જાન લઈને આવ્યો ત્યારે તેણે પોતાના પેરેન્ટ્સ સાથે જબરજસ્ત ડાન્સ કર્યો હતો. આદિત્ય ઢોલીના ઢોલ પર બેસીને ગજબનો નાચ્યો હતો. ઉદિત નારાયણ તથા દીપા નારાયણે પણ દીકરાના લગ્નમાં રંગ જમાવી દીધો હતો.

આદિત્ય તથા શ્વેતાનું ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન બીજી ડિસેમ્બરના રોજ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં યોજાશે. આ રિસેપ્શનમાં દીપિકા-રણવીર, બચ્ચન પરિવાર, પીએમ મોદી સહિતના સેલેબ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.

You cannot copy content of this page