સુશાંતની મિત્રનો મોટો દાવો: 24 કલાક બાળપણની મિત્રની આત્મા સાથે રહેતી રિયા ચક્રવર્તી પછી…..
સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ મોટા મોટા ખુલાસ થઇ રહ્યાં છે. હાલમાં જ આવેલા કેટલાક સમાચાર પ્રમાણે રિયા ચક્રવર્તી સુશાંતને પૈસાથી ઘરમાં જાદુ-ટોણા કરતી હતી. હવે સુશાંતની એક ફિમેલ ફ્રેન્ડ સ્મિતા પારીખે જણાવ્યું કે રિયાએ ખુદ કબૂલ્યું હતું કે તેની સાથે હંમેશા બાળપણની મૃત્યુ પામેલા મિત્રની આત્મા રહે છે. આ ખુલાસો તેઓએ સુશાંતની હાજરીમાં કર્યો હતો. રિયાનું કહેવું છે કે જે પણ તેને તકલીફ આપશે તેને બરબાદ કરશે.
હાલમાં જ રિપબ્લિક ટીવીની ડિબેટમાં સુશાંતની મિત્ર સ્મિતા સામેલ થઇ હતી. આ દરમિયાન તેઓએ રિયા પર જાદુ ટોણા કરવાના આરોપ પર કહ્યું કે હું સુશાંતના જૂના ઘર કપ્રી હાઇટ્સમાં ઓગસ્ટમાં ગઇ હતી. ત્યાં મેં અનેક ફર્નિચર તેની જગ્યાએ ન હતા તો મેં રિયા-સુશાંતને પુછ્યું કે સામાન ક્યાં છે તો જવાબમાં રિયાએ કહ્યું કે ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી થઇ રહી છે સ્મિતા જી, આથી અમે આ ઘરને શિફ્ટ કરી રહ્યાં છીએ.
સુશાંતની મિત્ર સ્મિતાનું માનવું હતું કે એક વ્યક્તિ જે ક્વોંટમ ફિઝિક્સ જેવા વિષયોમાં ઋચી રાખતો હતો તે આ બધું કેવી રીતે માનતો હશે ? સ્મિતાએ વધુમાં કહ્યું કે 24 કલાક તેની બાળપણની મિત્રની આત્મા રહે છે જે વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. બંને એ સમયે માત્ર 17 વર્ષના હતા. આથી આત્મા તેની સાથે રહે છે. જે કોઇ પણ રિયાને પરેશાન કરશે અથવા નુકશાન પહોંચાડશે તો આત્મા એ વ્યક્તિને બરબાદ કરી નાખશે.
સુશાંતની મિત્ર સ્મિતાનું માનવું હતું કે એક વ્યક્તિ જે ક્વોંટમ ફિઝિક્સ જેવા વિષયોમાં ઋચી રાખતો હતો તે આ બધું કેવી રીતે માનતો હશે ? સ્મિતાએ વધુમાં કહ્યું કે 24 કલાક તેની બાળપણની મિત્રની આત્મા રહે છે જે વર્ષો પહેલા મૃત્યુ પામી હતી. બંને એ સમયે માત્ર 17 વર્ષના હતા.
આથી આત્મા તેની સાથે રહે છે. જે કોઇ પણ રિયાને પરેશાન કરશે અથવા નુકશાન પહોંચાડશે તો આત્મા એ વ્યક્તિને બરબાદ કરી નાખશે. સુશાંતના પિતા કેકે સિંહનો આરોપ છે કે સુશાંતના એકાઉન્ટમાંથી ગત વર્ષે 15 કરોડ રૂપિયા હતા જે તેની જાણકારી વગર કાઢી લેવામાં આવ્યા.
તેમનો સીધો આરોપ રિયા પર જ છે. તો બીજી બાજુ હવે કહેવામાં આવી રહ્યું છે કે રિયા પંડિતો પર અને સુશાંત પર જાદુ ટોણા કરાવવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરી રહી હતી. હવે આ એન્ગલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.