Only Gujarat

Gujarat

‘ડાયરા કિંગ’ કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે નવા ઘરમાં મંગળ પ્રવેશ કર્યાં

જાણીતા સિંગર કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાન ગઢવીએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કિર્તીદાન ગઢવીએ તેમના નવા ઘરમાં થોડા દિવસ પહેલા જ ગૃહ પ્રવેશ કર્યો છે. કીર્તિદાનના ઘરમાં મારો એક લટાર. મહત્વની વાત એ છે કે, કીર્તિદાન ગઢવી હાલ જ્યાં રહે છે તે બંગલોનું નામ ‘સ્વર’ છે અને તેમના પુત્રનું નામ પણ સ્વર છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

થોડા દિવસ પહેલા જ ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીએ નવા ઘરમાં પહેલા ગૃહ પ્રવેશ કર્યો છે. જ્યાં પરિવાર સાથે પૂજા કરતા હોય તેવો વીડિયો પણ શેર કર્યો હતો. આ સાથે તેમને એક બીજો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે નવા ઘરનો નજારો બતાવ્યો છે. ચાહકો કિર્તીદાનને આ નવા ઘર માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા તસવીરોમાં કિર્તીદાન અને તેમની પત્ની સાથે બેસીને પૂજા કરી હતી અને બ્રાહ્મણો મંત્રોચાર કરતા જોવા મળ્યાં હતાં. એટલું જ નહીં કિર્તીદાને યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. કિર્તીદાનના નવા ઘરના ગૃહ પ્રવેશમાં કથાકાર જીગ્નેશ દાદાએ પણ હાજરી આપી હતી.

મહત્વની વાત એ છે કે, કિર્તીદાને પોતાની સ્ટોરીમાં પણ એક તસવીર શેર કરી છે જેમાં તેઓ જીગ્નેશ દાદાના આશીર્વાદ લેતા જોવા મળ્યા હતાં. નવા ઘરમાં ગૃહ પ્રવેશની પૂજાનો વીડિયો કિર્તીદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “નવા ઘરમાં મંગળ પ્રવેશ !”.

ત્યાર બાદ શેર કરવામાં આવેલા બીજા વીડિયોની અંદર કિર્તીદાન તેમની પત્ની સોનલ સાથે ઘરમાં કળશ લઈને ફરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કેમેરામાં કિર્તીદાનનું આલીશાન ઘર પણ કેદ થયેલું જોવા મળે છે. ત્યારે હવે તેમના આ વીડિયો પર ચાહકો ભરપૂર પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળે છે.

કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12મું પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.

કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

You cannot copy content of this page