વજન ઉતારવું હવે પહેલાં કરતાં પણ બન્યુ સરળ, ડાયટમાં સામેલ કરો આ એક માત્ર વસ્તુ ને પછી…
અમદાવાદઃ એપ્પલ વિનેગર વજન ઉતારવામાં હેલ્પફૂલ છે. રોજ એપ્પલ વિનેગર પીવાથી માત્ર વજન જ નથી ઘટતું પરંતુ અન્ય બીમારીઓ થતી અટકે પણ છે. ફૂડ્સ આપણા જીવનનો એ હિસ્સો છે, જે ભૂખ તો ભાંગે જ છે પરંતુ આપણને હેલ્થી રાખે છે. ફ્રૂટ્સ તથા શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર હોય છે. જેમા કેટલાંકને આપણે મેડિકલ ટ્રિટમેન્ટ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. એપ્પલ વિનેગરમાં વિટામિન ભરપૂર રહેલા છે. આ ઉપરાંત તેમાં અનેક એન્ટી ઓક્સીડેન્ટ પણ છે. જેથી શરીરને ઉચ્ચ પોષણ પ્રાપ્ત થાય છે. જો તમે વજન ઘટાડતા હોવ તો એપ્પલ વિનેગાર ખાસ તમારા માટે છે.
1. વજન ઘટાડવા માટે ફાયદાકારકઃ વજન ઉતારવા માટે ડાયટમાં એપ્પલ વિનેગરને સામેલ કરો. જોકે, તમારે આનો ઉપયોગ થોડી સાવધાની સાથે કરવો. કારણ કે કોઈ પણ ખાદ્ય પદાર્થને નિયંત્રિત માત્રામાં લેવાથી જ તે લાભદાયી ફળ આપે છે.
2. બ્લડ શુગરને ઓછું કરે છેઃ એપ્પલ વિનેગર લીવરની યોગ્યતા સુધારવામાં ખાસ્સું મદદરૂપ છે, જેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. અહીં એકવાત ધ્યાનમાં રાખવી કે એપ્પલ વિનેગર સુગર ફ્રી લેવું.
3. મેટાબોલિઝ્મ સુધારે છેઃ મેટાબોલિઝ્મ એક પ્રક્રિયા છે, જે ભોજનને એનર્જીમાં રૂપાંતરિત કરે છે અને સેલ્સ બનાવવામાં મદદ કરે છે. એપ્પલ વિનેગર એન્જાઈમ એએસપીકેને વધારે છે, જેથી ફેટ ઘટે છે અને મેટાબોલિઝ્મ સુધરે છે.
4. ઈન્સ્યુલિન બનાવવામાં સહાયકઃ એપ્પલ વિનેગર શરીરમાં ઈન્સ્યુલિન લેવલને ઘટાડે છે, જેથી એકસ્ટ્રા ફેટ ઓછી થાય છે.
5. ભૂખ ઓછી લાગે છેઃ એપ્પલ વિનેગર પીવાને કારણે ભૂખ ઓછી લાગે છે. જેથી બોડીમાં વધારાની કેલરી જતી નથી. જેટલી કેલરી ઓછી લેવામાં આવે તેટલું વજન ઝડપથી ઘટે છે.
(ખાસ નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પણ પ્રકારની દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો. આ માહિતીની પ્રામાણિકતા માટે ઓન્લી ગુજરાત કોઈ જવાબદારી લેતુ નથી.)