અમદાવાદઃ જ્યોતિષમાં શનિદેવને તમામ ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિ સારું કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને ખરાબ પરિણામ આપે છે. શનિવેદ સૂર્ય દેવ તથા માતા છાયાનો પુત્ર છે. શનિવારનો દિવસ શનિદેવનો છે. આ દિવસે શનિને તેલ ચઢાવવામાં આવે છે. શનિદેવ સાથે જોડાયેલા રોચક તથ્યો તથા વર્ષ 2020માં શનિની સાડાસાતીની અસર કોના પર થશે?
શનિઃ
– શનિ કર્મપ્રધાન દેવતા છે.
– શનિના પિતા સૂર્ય તથા માતા છાયા છે. શનિનો ભાઈ યમરાજ તથા બહેન યમુના છે.
– શનિ મહેનતી લોકોને આશીર્વાદ આપે છે.
– જ્યોતિષમાં શનિને મકર તથા કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે.
– શનિ આ સમયે ધન રાશિમાં છે. 24, 2020માં શનિ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
– આ સમયે વૃશ્ચિક, ધન તથા મકરમાં શનિની સાડાસાતી છે. વૃષભ તથા કન્યા રાશિ પર શનિની ઢૈય્યા છે.
– શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવને સરસિયાનું તેલ ચઢાવવું જોઈએ. આ ઉપરાંત પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત ખીજડાના ઝાડની પણ પૂજા કરવી જોઈએ.
– જે લોકો પર શનિની દશા તથા મહાદશા ચાલતી હોય તો દર મંગળવાર તથા શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
આ વર્ષે શનિ ગ્રહ 24 જાન્યુઆરના રોજ ધન રાશિમાંથી નીકળીને પોતાની રાશિ મકરમાં ગોચર કરશે. આ સાથે જ 11મેથી 29 સપ્ટેમ્બર સુધી આ મકર રાશિમાં વક્રી રહેશે અને 27 ડિસેમ્બરે અસ્ત થશે. ધન તથા મકર રાશિમાં સાડા સાતીનો પ્રભાવ ચાલશે. હવે કુંભ માટે સાડા સાતીનું પહેલું ચરણ શરૂ થશે.
મેષઃ વર્ષ 2020માં મેષ રાશિના જાતકો પર શનિની સાડા સાતીનો પ્રભાવ રહેશે.
વૃષભઃ વર્ષ 2020માં આ રાશિ પર શનિની સાડા સાતી જોવા મળશે નહીં.
મિથુનઃ આ રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડા સાતીનો કોઈ પ્રભાવ જોવા મળશે નહીં.
કર્કઃ 2020માં શનિની સાડા સાતીની અસર રહેશે નહીં.
સિંહઃ શનિનો કોઈ પ્રકોપ આ રાશિના જાતકો પર જોવા મળશે નહીં.
કન્યાઃ વર્ષ 2020માં આ રાશિ પર શનિની સાડા સાતીની અસર જોવા મળશે નહીં.
તુલાઃ વર્ષ 2020માં આ રાશિ પર શનિની સાડા સાતી જોવા મળશે નહીં.
વૃશ્ચિકઃ શનિની સાડા સાતીની અસર જોવા મળશે નહીં
ધનઃ સાડા સાતીની અસર જોવા મળશે. શનિની સાડા સાતી અંતિમ તબક્કામાં છે.
મકરઃ શનિનું ગોચર આ જ રાશિમાં છે. તેથી આ રાશિના જાતકો પર સાડા સાતી બીજા તબક્કામાં જોવા મળશે.
કુંભઃ આ વર્ષે સાડા સાતીનું પ્રથમ ચરણ શરૂ થશે, જે આગામી પાંચ વર્ષ સુધી રહેશે.
મીનઃ વર્ષ 2020માં આ રાશિ પર શનિની સાડા સાતી જોવા મળશે નહીં.