Only Gujarat

Bollywood

સસ્તી પબ્લિસિટી માટે રાખી સાવંતના વાહિયાત દાવાથી સુશાંતના ચાહકોમાં જબરદસ્ત રોષ

મુંબઈ: એક તરફ લોકો સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ લોકો આઘાતમાં છે, જ્યારે એક્ટ્રેસ રાખી સાવંતે વિચિત્ર દાવો કરી સૌને ચોંકાવ્યા હતા. રાખી સાવંતે દાવો કર્યો કે, સુશાંતનો પુર્ન: જન્મ થશે અને એ તેની કૂખે જન્મ લેશે. રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે- ગત રાતે તેના સ્વપ્નમાં સુશાંત આવ્યો હતો અને તેણે તેની કૂખે ફરી જન્મ લેશે તેમ જણાવ્યું હતું.

રાખીએ કહ્યું કે,‘રાતે હું ઊંઘમાં હતી ત્યારે અચાનક ઝાટકો લાગ્યો. મે પ્રશ્ન કર્યો- કોણ છે? તો અવાજ આવ્યો-હું સુશાંત. શું તમે વિશ્વાસ કરી શકો છો કે મારા સ્વપ્નમાં સુશાંત આવ્યો અને તેણે કહ્યું કે- મારો ફરી જન્મ થશે. મારા ફેન્સને જણાવો કે હું ફરી જન્મ લઈશ. મે કહ્યું- કેવી રીતે? તો તેણે કહ્યું કે હું તને થોડા સમયમાં જ જણાવીશ. મે આ અંગે જાણવા ફરી પ્રશ્ન કર્યો તો સુશાંતે કહ્યું કે- રાખી તુ લગ્ન કરીશ અને હું તારી કૂખે જન્મ લઈશ. ’

રાખી સાવંતનો આ વીડિયો જોઈ સુશાંતના ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેમણે એક્ટ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. કોઈએ કહ્યું કે, ‘આ સસ્તો નશો કરીને બેઠી છે’ તો કોઈએ કોમેન્ટમાં કહ્યું કે- ‘હવે અમારી નજરોમાં સાવ માન ગુમાવી બેઠી છે.’

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સુશાંતની આત્મહત્યાથી તેના પરિવારજનો અને ફેન્સ બંને આઘાતમાં છે. સુશાંતના પરિવારજનોએ આ મુદ્દે સીબીઆઈ તપાસની માગ કરી છે. મુંબઈ પોલીસ પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ માટે 3 અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ નવા-નવા ખુલાસા સામે આવી રહ્યાં છે.

You cannot copy content of this page