Only Gujarat

Gujarat

યુવકના લગ્નના બીજા દિવસે પાડોશી યુવતીએ ફાંસો ખાધો, સુસાઈડ નોટ વાંચી રડી પડશો

રાજકોટમાં એક આઘાતજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં યુવતીએ સુનીલ નામના યુવાનના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇટ નોટમાં દીપાલીએ સુનીલ નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે.

યુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, “હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી.”

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનુંયોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.

ચર્ચાતી વાતો મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

You cannot copy content of this page