Only Gujarat

International TOP STORIES

કોરોના સામેની લડાઈમાં મળી મોટી સફળતા, વૈજ્ઞાનિકોએ શું કર્યો મોટો દાવો?

કોરોના વાયરસનાં કહેરની સામે આખું વિશ્વ લડી રહ્યું છે અને લોકો તેના ચેપથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. લોકો ચેપ ટાળવા માટે દરેક રીતો અને પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જેના વિશે સંક્રમણથી બચવાનો દાવો કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ એવું ફિલ્ટર બનાવવાનો દાવો કર્યો છે જે હવામાં રહેલા કોરોના વાયરસને ખતમ કરી દેશે.

વૈજ્ઞાનિકોના દાવા મુજબ, આ ફિલ્ટર દ્વારા બંધ સ્થળો જેવાકે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને વિમાનમાં ફેલાતા કોરોના વાયરસના ચેપને રોકી શકાય છે. આ ફિલ્ટર દ્વારા, વાયરસને નિશ્ચિત અને બંધ સ્થળે દૂર કરી શકાય છે.

શોધ જર્નલ મટિરિયલ્સ ટુડે ફિઝિક્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ એર ફિલ્ટરમાંથી પસાર થતી હવામાં એકવારમાં 99.8 ટકા સુધીના કોરોના વાયરસને દૂર કરવાની ક્ષમતા છે.

અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ઉપકરણના વ્યાવસાયિક ઉપયોગ માટે, તેમાં વપરાતું નિકલ ફોમ ને 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરીને બનાવવામાં આવે છે.

એટલું જ નહીં, આ એર ફિલ્ટરએ તપાસમાં ઘાતક જીવાણું બેસિલમ એન્થ્રેસિસને 99 ટકા સુધી ખતમ કરવામાં સફળતા મેળવી છે.

હ્યુસ્ટન યુનિવર્સિટીના સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાાનિક ઝિફેંગ રેને કહ્યું કે આ એર ફિલ્ટર શાળાઓ, કોલેજો, એરપોર્ટ, ઓફિસોમાં કોરોનાના ચેપને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તે બંધ સ્થળોએ વધુ અસરકારક રહેશે. તેથી, આવી ક્ષમતા વિકસિત થવી જોઈએ કે જેથી તેની સહાયથી વિશ્વભરની સંસ્થાઓમાં તેને શરૂ કરી શકાય.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page