માત્ર તાવને જ કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના અનેક મામલા છૂટી શકે છે. આ દાવો ભારતીય શોધકર્તાઓએ એઇમ્સ દિલ્હીમાં 144 કોરોના દર્દી પર રિસર્ચ બાદ કર્યો છે. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં શોધ પ્રમાણે આ અધ્યયન 20 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે કરવામાં આવી હતી. જેમાં 93 ટકા પુરુષ સામેલ હતા. એવી પાંચ વાત અંગે જાણવું જરૂરી છે જે તાવ સિવાય અન્ય લક્ષણો પર ધ્યાન દેવું જરૂરી છે.
શોધરર્તાઓના જણાવ્યા પ્રમાણે ભરતી કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીને જ તાવ હતો. રિસર્ચ દરમિયાન માત્ર 17 ટકા કોરોનાના દર્દીમાં તાવનું લક્ષણ દેખાયું. આ આંકડો દુનિયાભરના એવા મામલાના મુકાબલે ઘણા ઓછા હતા. જેવી રીતે ચીનની હોસ્પિટલમાં ભરતી થતી વખતે 40 ટકા કોરોના પીડિતોમાં તાવના લક્ષણ દેખાયા. 88 ટકા દર્દીમાં તાવનું લક્ષણ હોસ્પિટલમાં ભરતી બાદ સામે આવ્યું.
રિસર્ચ રિપોર્ટનું કહેવું છે કે 44 ટકા દર્દી હોસ્પિટલમાં ભરતી કરતી વખતે એસિમ્પ્ટોમેટિક હતા. એટલે કે તેમાં કોરોનાના લક્ષણ નજર આવી રહ્યાં હતા નહીં. આવા મામલે કોમ્યુનિટી ટ્રાંસમિશનના કારણ બની શકે છે. આ સૌથી ગંભીર પહેલું છે.
રિસર્ચ પ્રમાણે યુવાનોમાં કોરોનાના જે મામલા છે તેમાંથી મોટાભાગે એવા છે જેમાં લક્ષણ દેખાતા નથી. લાંબા સમય બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આ ઉંમર વર્ગમાં ખુબ ઓછા એવા કેસ સામે આવે છે જેને આઇસીયુમાં ભરતી કરવાની જરૂર પડે છે. શોધર્તાઓનું કહેવું છે કે મોટાભાગે દર્દી ભીડવાળી જગ્યામાંથી સામે આવી રહ્યાં છે.
સ્ક્રીનિંગ કરવાથી જાણવા મળ્યું છે કે આ હોટસ્પોટના દાયરામાં રહે છે.144 દર્દીમાંથી 2.8 ટકા જ કોવિડ-19ની ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હતા. તો 97.2 ટકામાં માઇલ્ડ લક્ષણ હતા. શોધકર્તાઓ પ્રમાણે રિસર્ચ દરમિયાન આ સાબિત થયું કે બીમારીની ગંભીરતા, ઉંમર, જેન્ડર અને ધૂમ્રપાન કરવા વચ્ચે કોઇ સંબંધ નથી.
કોરોનાના દર્દીમાં મૃત્યુ દર 1.4 ટકા મળ્યા. શોધ દરમિયાન મોટાભાગના દર્દીને વિટામિન-સી, પેરાસિટામોલ અને એન્ટીહિસ્ટામાઇન આપવામાં આવી. 29 દર્દીને એન્ટીબાયોટિક્સ એજિથ્રોમાયસિન આપવામાં આવી.
27 દર્દીને એન્ટી-મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વીન આપવામાં આવી. 11 દર્દીને હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એજિથ્રોમાયસિન બંને આપવામાં આવી. માત્ર એક દર્દીને વેન્ટિલેટર અને 5 દર્દીને ઓક્સીજન આપવામાં આવી.