Only Gujarat

Bollywood

બોયફ્રેન્ડ વિક્કીના ખોળામાં બેસી ગઈ અભિનેત્રી અંકિતા લોખંડે, જુઓ તસવીરો

મુંબઈ: ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે. એવામાં તેણે પરિવાર, મિત્રો અને બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયાના પેજમાં મુકી હતી જે બહુ જ વાયરલ થઈ હતી. તેમાંથી એક તસવીરમાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈનના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે જોરદાર ટ્રોલ કરી હતી. અંકિતાની આ તસવીરો જૂની છે. તેની આ તસવીરો ગોવા વેકેશનની છે જે ગયા વર્ષની છે.

અંકિતા લોખંડેએ ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પરિવાર અને મિત્રોની સાથે ગોવા વેકેશનની ગયા વર્ષની તસવીરો શેર કરી હતી. તસવીરોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, અમારો આખો પરિવાર ફરી એકવાર ગોવા જવા માટે ઉત્સુક છે? તમારો હાથ ઉઠાવો.

હવે અંકિતા લોખંડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર યુઝર્સ ટ્રોલ કરી રહ્યાં છે અને ગમે તેવી કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું હતું કે, સુશાંત હવે યાદ આવે છે કે નહીં. બીજા યુઝરે લખ્યું હતું કે, ફરીથી સ્વાગત છે બેશર્મ અને ડ્રામા ક્વીનનું ત્રીજા યુઝરે લખ્યું હતું કે, જો કોઈને લાગે છે કે અંકિતા સુશાંતને યાદ કરે છે તો મને લાગે છે કે તે હવે તેને મિસ કરતી નથી.

આ ઉપરાંત સુશાંતને લઈને અભિનેત્રીની તસવીર પર કમેન્ટ્સ કરી હતી કે, ઉંમરલાયક વિક્કીને મેળવીને બહુ જ ખુશ છે. સુશાંત ભાઈને લઈને ડુબી, માણસ શું ભગવાન પણ માફ નહીં કરે તને. અન્ય એક યુઝરે લખ્યું કે બેડ ફોટોગ્રાફી, બેડ એંગલ.

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડેને લોકો સુશાંત સિંહ રાજપુતને લઈને એટલા માટે ટ્રોલ કરે છે કે કારણ કે તે તેની સાથે રિલેશનશીપમાં હતી અને હવે જ્યારે અભિનેતાએ સુસાઈડ કરી લીધું હતું તો બ્રેકઅપ બાદ પણ તે તેના પરિવારની સાથે જોવા મળી હતી. એવામાં હવે તે પોતાની જિંદગીમાં પરત ફરી ચૂકી છે તો તેણે તેના બોયફ્રેન્ડની સાથે જોઈને લોકોને લાગે છે કે, તે સુશાંતને ભૂલી ગઈ છે.

હાલમાં જ અંકિતા લોખંડેએ પરિવારના સભ્યો, મિત્રો અને બોયફ્રેન્ડ વિક્કી જૈનની સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યાં હતાં. આ પાર્ટીમાં સંદીપ સિંહ પણ જોવા મળ્યો હતો જેને લઈને સુશાંતના ચાહકોએ જોરદાર ટ્રોલ કર્યો હતો.

બર્થ-ડે પાર્ટીને લઈને ટ્રોલ થવા પર અંકિતાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, તે અને તેનું દિલ ઘણાં મુદ્દાઓથી લડી રહ્યું છે પરંતુ એક વસ્તુ તેની અંદર ક્યારે નથી રહી તે છે નફરત. અભિનેત્રીએ લખ્યું હતું કે, જો તમને નફરતના જ વિચારો આવે છે તો તેનાથી તેની આત્મા પણ ખરાબ થાય છે.

અંકિતાએ વધુ એક પોસ્ટમાં લખ્યું હતું કે, તે સ્થિર રહેશે. જો લોકો તેના માટે નકારાત્મક વિચાર રાખે છે તો તે જાણે છે કે તેમની સલાહ છે. એ તેના સંસ્કારો પર આધારિત છે અને આજના મુડ પર નિર્ભર કરે છે.

You cannot copy content of this page