શિવલિંગ પર આવીને લપેટાઈ ગયો નાગ, કોરોનાને ભગાડવા મંદિરમાં ચાલી રહ્યો છે મહામૃત્યુંજય જાપ
કોરોના નિવારણ માટે એક શિવ મંદિરમાં ચાલી રહેલા મહામૃત્યુંજય જાપ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે એક નાગ શિવલિંગ અને નંદી સાથે આવીને લપેટાઇ ગયો. આ હેરાન કરનારી ઘટના મધ્ય પ્રદેશના રાયસેનની છે.
મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં કોરોના મહામારી નિવારણ માટે બે મહિનાથી શિવ મંદિરમાં જાપ ચાલી રહ્યો છે. ત્યાંના એક શિવાલયમાં સોમવાર 24 ઓગસ્ટે છ ફૂટ લાંબો કાળો સાપ નજર આવ્યો.
રાયસેન જિલ્લાના ઉદયપુરામાં કૃષિ ઉપજમંડીમાં રામેશ્વર શિવધામ બનાવવામાં આવ્યું છે. જ્યાં સચિન કૃષ્ણ શાસ્ત્રી દ્વારા બે મહિનાથી કોરોના મહામારી નિવારણ માટે મહામૃત્યુંજય જાપ ચાલી રહ્યો છે.
જાપ ચાલી રહ્યો હતો ત્યાં શિવાલયમાં છ ફૂટ લાંબો કાળો સાંપ આવ્યો અને નંદીને લપેટાઇ ગયો. બાદમાં શિવલિંગ પર જઇને બેસી ગયો. આ વાતની જાણ થતા જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉપડી ગયા.
પંડિત સચિન કૃષ્ણ શાસ્ત્રીએ જણાવ્યું કે આ સિધ્ધ સ્થાન છે જ્યાં નાગ શિવાલયમાં આવે અને નંદીને લપેટાઇને રહે છે. પછી શિવલિંગ પર જઇને બેસી જાય છે. થોડા સમય બાદ મંદિરમાંથી ગાયબ થઇ જાય છે.
સાપ મંદિરમાં આવીને શિવલિંગ પર લપેટાઈ ગયો તેની જાણ ભક્તોને થતાં ભક્તો મંદિરમાં દોડી આવ્યા હતાં.