કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ચાલુ છે. બધા દેશો તેની રસી પર કામ કરી રહ્યા છે. કેટલાક રસી પરીક્ષણો અંતિમ તબક્કામાં છે. ભારતમાં પણ બધા પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન, આઈઆઈટી દિલ્હી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે આ વાયરસ સામે લડવામાં દસ ગણી વધુ અસરકારક દવા છે.
વાસ્તવમાં, આઈઆઈટી દિલ્હીમાં થયેલું સંશોધન દર્શાવે છે કે ક્લિનિકલી માન્યતા પ્રાપ્ત દવા ‘ટિકોપ્લેનિન’ કોરોના વાયરસ સામે વધુ અસરકારક છે. આ દવા હાલમાં ઉપયોગમાં લેવામાં આવતી અન્ય ઘણી દવાઓ કરતાં દસ ગણી વધુ અસરકારક હોઈ શકે છે. આઈઆઈટીની કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સાયન્સના સંશોધનમાં 23 માન્ય દવાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
પી.ટી.આઈ. ના અહેવાલ મુજબ, આઇ.આઈ.ટી. દિલ્હીના પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું છે કે જ્યારે ટીકોપ્લેનિનની તુલના જ્યારે ઉપયોગમાં લેવાતી અન્ય મહત્વની દવાઓ સાથે કરવામાં આવતી હતી,તો અમારી પ્રયોગશાળાની પરિસ્થિતીઓમાં સાર્સ-સીઓવી-2ની સામે લોપિનાવિર અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન જેવી દવાઓની તુલનામાં ટીકોપ્લેનિન 10થી 20 ગણી વધારે પ્રભાવી મળી આવી છે.
અહેવાલ મુજબ, એઈમ્સના ડો.પ્રદીપ શર્મા પણ આ સંશોધનનો એક ભાગ હતા. વાસ્તવમાં ટેકોપ્લેનિન એ ગ્લાયકોપેપ્ટાઇડ એન્ટીબાયોટીક છે. આ દવા માણસોમાં ઓછા ઝેરી પ્રોફાઇલવાળા ગ્રામ-પોઝિટીવ બેક્ટેરિયલ ચેપને મટાડવા માટે ખૂબ ઉપયોગમાં લેવાય છે. તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની પણ મંજૂરી મળી છે.
પ્રોફેસર પટેલે વધુમાં સમજાવ્યું હતું કે તાજેતરમાં રોમમાં સપિએન્ઝા યુનિવર્સિટીમાં ટિકોપ્લેનિન સાથે ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો છે. કોરોના સામે ટીકોપ્લાનિનની ભૂમિકા શું છે? આ નિર્ણય લેવા માટે, મોટા પાયે વિવિધ તબક્કાના કોવિડ દર્દીઓ પર અભ્યાસ કરવાની જરૂર છે.
જણાવી દઈએ કે કોરોનાના કહેર વચ્ચે નિષ્ણાંતોએ રોગચાળાના ત્રીજી લહેર અંગે ચેતવણી આપી છે. યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના ચેપી રોગોના પ્રોફેસર માર્ક વૂલહાઉસે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર બિલકુલ શક્ય છે.