Only Gujarat

Gujarat

પાખંડીએ બે બહેનોને નિર્વસ્ત્ર કરી માણ્યું શરીરસુખ, કહ્યું- ‘તું પાર્વતી અને હું શિવ, ચાલ સુહાગરાત કરીએ’

આજકાલ પાખંડી સાધુઓની કામલીલા પૂરબહારમાં ખીલી છે અને એવું લાગે છે કે તેઓ ભગવાનના નહીં, પણ કામદેવના સાધક બની ગયા છે. આવો જ કિસ્સો બહાર આવ્યો છે નવસારીમાં. જ્યાં પાખંડી તાંત્રિક વિષ્ણુ મહારાજે તાંત્રિક વિધિના બહાને ગણદેવીની બે બહેન પર દુષ્કર્મ આચર્યું. પહેલા નાની બહેનને શિકાર બનાવી અને ત્યારબાદ નાની બહેનને શિકાર બનાવી અને તેના કારણે બંને બહેન ગર્ભવતી થઈ. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તાંત્રિક અને તેના બે સેવકની ધરપકડ કરી છે.

ધર્મના નામે પાપાચારની વધતી ઘટનાઓ વચ્ચે તાંત્રિકોને રવાડે ચઢેલા મા-બાપ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ખુદ પિતા જ તાંત્રિકોના રવાડે ચઢ્યા જેના પરિણામ દીકરીઓએ ભોગવવા પડ્યા હતા. નવસારીમાં તાંત્રિક વિધિના બહાને 2 બહેનો સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ પીડિત પરિવાર ઉત્તર પ્રદેશથી આવીને નવસારીના ગણદેવીના એક ગામમાં વસ્યો છે. ચા-નાસ્તાની દુકાન ચલાવીને ગુજરાત ચલાવનાર પરિવારમાં પત્ની અને ચાર પુત્રી છે. જેમાંથી બે પુત્રીના લગ્ન થયા છે. તેમાંથી એકને એક સંતાન પણ છે. પરંતુ સાસરે જતી ન હોવાથી પિયરમાં જ રહે છે.

જ્યારે બીજી બે સગીર વયની પુત્રીઓ પણ છે. મોટી દીકરીને સાસરે બઘુ સમુસુતરું પાર પાડવાના પ્રયાસોમાં આ પરિવાર ઠગ તાંત્રિકના રવાડે ચઢી ગયા હતા. આ તાંત્રિકે તેમની એક દીકરીની નહીં પણ બે-બે દીકરીઓની જિંદગી બરબાદ કરી નાંખી હોવાની ઘટના સામે આવી છે. ઘરમાં સુખ-શાંતી લાવવાનો દાવો કરનાર આ તાંત્રિક રૂપિયા તો પડાવ્યા પણ દીકરીઓ સાથે વિધિ કરવાને બહાને તેમની સાથે શારીરિક સંબધો બાંધ્યા હતા. એટલું જ નહીં પરંતુ બંને દીકરીઓને ગર્ભવતી બનાવી દેતા આખો મામલો બહાર આવ્યો હતો.

વાત એમ બની કે મહિના પહેલાં પિતા મહેશ(નામ બદલ્યું છે)નો સંપર્ક સુરેશ રામસેવક પટેલ સાથે થયો હતો. ત્યાર બાદ મહેશે પોતાની દીકરીની હાલત વિશે સુરેશને વાત કરી હતી. જેથી સુરેશે નંદુરબારના તાંત્રિક વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુર નાઇક વિશે જણાવ્યું હતું. જેથી મહેશભાઇ સુરેશ સાથે તાંત્રિકને નંદુરબાર મળવા ગયા હતા. વિષ્ણુએ મહેશની વાત સાંભળ્યા બાદ કહ્યું, તારા ઘરમાં શેતાનનો વાસ છે, તે તારી તમામ પુત્રીઓને સાસરે ટકવા નહીં દેશે. જેથી મહેશ ડરી ગયો. તેણે આમાંથી છુટકારો અપાવવા જણાવતાં તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું અને 50 હજાર આપવા પડશે તેમ જણાવ્યું હતું. આ સાથે આ વિધિમાં મોટી દીકરીને એકલા આવવું પડશે તેવું કહ્યું હતું. ત્યાર બાદ મહેશે વિષ્ણુના બેંક ખાતામાં 50 હજાર જમા કરાવી દીધા હતા. ત્યારબાદ પોતાની પરિણીત મોટી દીકરીને નંદુરબારના લાખાપોર ગામે વિષ્ણુની પાસે વિધિ માટે મૂકી આવ્યો હતો.

અજાણી જગ્યા અજાણ્યા માણસો વચ્ચે ડરી ગયેલી દિવ્યા પર વિષ્ણુએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પોતાની દીકરીને લેવા માટે પિતા મહેશ વિષ્ણુ પાસે ગયો હતો. તે સમયે વિષ્ણુએ હજી વિધિ અધૂરી છે, તેમ કહી પિતાને રવાના કરી દીધા હતા. શરમ અને ડરના લીધે મોટી પુત્રીએ પોતાની પર થયેલા દુષ્કર્મની વાત કોઇને કહી નહોતી . બીજી વખત વિધિ માટે જવાનો તેણે સાફ ઇન્કાર કરી દીધો હતો. જેથી વિષ્ણુએ મહેશને તેની નાની દીકરીને મોકલી વિધિ પૂરી કરવા જણાવ્યું હતું. જેથી મહેશ પોતાની નાની સગીર દીકરીને વિધિ કરવા વિષ્ણુ પાસે મૂકી આવ્યો હતો.

હવસખોર તાંત્રિક વિષ્ણુએ નાની દીકરીને કહ્યું હતું કે, તારા પપ્પા તમારા માટે કેટલું કરે છે. તારા ઘરે શેતાનની છાયા હોઈ તેને દૂર કરવા માટે વિધી કરવાની છે. જેમાં તારે પાર્વતી દેવી અને મારે મહાદેવ શંકરજી બનીને લગ્ન કરવાના છે અને પછી શેતાનને ભગાડવાનો છે. આમ પોતાની વાતોમાં ભોળવીને પીડિતાને નવવધુનો શણગાર સજાવ્યો હતો અને પોતે મહાદેવનું રૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ બનાવટી લગ્ન કર્યા હતા અને સુહાગરાત મનાવવાની વાત કરીને પોતાની હવસ સંતોષી હતી.

લગ્નની લાલચ આપી પહેલા મોટી અને બાદમાં નાની બહેન પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બંને દીકરી ગર્ભવતી હોવાનું સામે આવતાં મહેશ અને તેના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે બંને બહેનોની ફરિયાદના આધારે ગણદેવી પોલીસે નંદુરબારના તાંત્રિક અને તેના બે ચેલા સામે પોસ્કો, અપહરણ, દુષ્કર્મ તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

You cannot copy content of this page