Only Gujarat

Gujarat

સુરતમાં થાઈલેન્ડની યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યા?

સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. જો કે, ગામવાસીઓએ દરવાજો તોડી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી થાઈલેન્ડની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ યુવતીની હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ચોંકાવનારી આ ઘટનાની વિગતો એવી છે કે, સુરતના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગીનભાઈ પરભુભાઈ પટેલે પોતાનું મકાન ભાડે આપ્યું છે. જેમાં થાઈલેન્ડની મિમ્મી નામની થાઈલેન્ડની યુવતી ભાડે રહેતી હતી. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ શનિવારે રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીના ઘરેથી મિમ્મી પોતાના ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રીના સમયે અચાનક આગની ઘટના બની હતી.

સ્થાનિક લોકોને જાણ થતા જ તેઓ ઘરે દોડી ગયા હતાં. તે સમયે યુવતી સળગી રહી હતી. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.

મિમ્મી કેવી રીતે સળગી તે પોલીસ માટે મોટો કોયડો છે. કારણ કે, મિમ્મીની રૂમ પણ સળગી ગયો છે. રૂમના એક તરફનો ભાગ તો બિલકુલ ખાક થઈ ગયો છે. આગની જ્વાળાઓ મકાનની બહાર સુધી આવી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ઘરનો એક સાઈડનો ભાગ પણ સળગેલો છે. ઘટનાની જાણ પોલીસ દોડતી થઈ અને આ આત્મહત્યા છે કે પછી હત્યા થઈ છે તે અંગે FSL ની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસે મકાન માલિક તથા મિમ્મીની સહેલીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

You cannot copy content of this page