Only Gujarat

Religion

વૃશ્ચિકનું વાર્ષિક રાશિફળ: આવક-સાહસમાં વૃદ્ધિ થશે, કિડનીની બીમારીનો સામનો કરવો પડી શકે છે

ગુરુનું ભ્રમણ આપના આત્મવિશ્વાસમાં વધારો કરાવવાવાળું બનશે. છેલ્લા કેટલાય સમયથી આપ જે મુશ્કેલીઓનો સામનો કરો છો તેમાંથી આપને લાભ થતો જણાય. વર્ષ શનિ મહરાજના દૃષ્ટિકોણથી આપની રાશિથી પરાક્રમ સ્થાનેથી પસાર થશે. આપની આવકમાં અને આપના સાહસમાં વૃદ્ધિ થશે જેનું પરિણામ આ વર્ષ દરમ્યાન આપને સાત ગણું જોવા મળી શકે છે. વૃશ્ચિકમાં કેતુનું ભ્રમણ લગ્નસ્થાને રહેશે. જેના કારણે આપના જીવનમાં અસમંજસની સ્થિતિ સમગ્ર વર્ષ દરમ્યાન રહી શકે તેમ છે.

આપની છાપ પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ઉપસી શકે તેમ છે. જેને કારણે આપ ઘણી બધી તકલીફો દૂર કરી શકશો. આર્થિક સુખની દૃષ્ટીએ આ વર્ષ લાભદાયી બનશે. આપ એવી પરિસ્થિતિમાં ગૂંચવાયેલા રહેશો કે સમય નહીં મળે. આપે રોકેલા નાણાં પરત મળશે. ગત જન્મના પુણ્યોને કારણે ને વર્તમાન સમયમાં સારા કર્મોને કારણે આપને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. કોઈ પણ ક્ષેત્રમાં લગાવેલા નાણાં પારસમણી સમાન સિદ્ધ થાય.

આપનું દાંપત્યજીવન ખૂબ પ્રભાવશાળી બની શકે તેમ છે, પરંતુ આપને કંઈક ખૂટે છે તેવો ભાવ આપને લાગ્યા કરે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે નાનકડી નોકઝોક ચાલ્યા કરે. આ મીઠો ઝઘડો આપના સંબંધોને વધુ ગાઢ બનાવશે. અવિવાહિત લોકો માટે લગ્નનું અચાનક ગોઠવાઈ જવાથી થોડી દોડધામ વધી શકે તેમ છે. વર્ષ દરમ્યાન આપે આરોગ્યની બાબતે સાવધાની રાખવી પડશે, કારણ કે કિડની સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આપ કસરત કે પાણી ઓછું પીતા હો તો પાણી વધુ પીવું અને સામાન્ય કસરત કરતા રહેવું.

સંતાનોના અભ્યાસની ચિંતામાંથી આપને મુક્તિ મળી શકે તેમ છે. આ વર્ષ દરમ્યાન નોકરીમાં આપને ખૂબ લાભ થઈ શકે છે. પગારમાં વધારો પોતાના સ્થાનમાં વૃદ્ધિ જેવું તમામ બાબતોમાં પ્રગતિ થવાથી આપ વધુ આનદમાં રહી શકો છો. સરકારી નોકરીનું આપનું સ્વપ્ન પરિપૂર્ણ થઈ શકે છે. શનિની શ્રેષ્ઠ અસરને કારણે વ્યવસાયમાં અસરકારક વૃદ્ધિ જોઈ શકો છો. પ્રારંભેમાં ખેતીમાં ઉત્પાદન ની ચિંતા અને દોડધામ રહ્યા કરે .

આપની સંપત્તિમાં વિશેષ ફેરફાર કરવો હશે તો વર્ષના મધ્ય ભાગ પછી કરી શકશે. આપના સંતાનના નામે લીધેલી કોઈ પણ સંપત્તિથી આપને ફાયદો થાય. આપનો ગુસ્સો આસમાને રહી શકે છે. ગુસ્સાને કારણે જો આપ વધુ પરાક્રમ કરશો તો શત્રુઓમાં વૃદ્ધિ થવી નક્કી છે. આપના વર્તનથી આપને ફાયદો થઈ શકે તેમ છે. પ્રેમ સંબંધો આપના માટે નહીં લાભ કે નુકસાન જેવા બનેલા રહેશે. આ વર્ષ દરમ્યાન ગ્રહ ગોચરને ધ્યાનમાં રાખતા વિદેશથી લાભ થઈ શકે.

વૃશ્ચિક રાશિના મિત્રોએ પોતાના જીવનને ઉન્નત બનાવા માટે ખાસ આ સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન હનુમાનજીની પૂજા-ઉપાસના કરવી. નિત્ય બની શકે તેટલા હનુમાન ચાલીસાના પાઠ કરવા તેમજ શનિવારના દિવસે દાન કરવું. જ્યારે પણ અમાવસ્યાની રાત્રી હોય ત્યારે હનુમાન જંજીરાના પાઠ કરવા.

You cannot copy content of this page