ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક સ્મશાનઘાટ એવું છે, જ્યાં બે મહિલાઓ મૃતદેહોને સળગાવવાનું કામ કરી રહી છે. શરૂઆતમાં, તેમણે આ વ્યવસાયને મજબૂરીને કારણે પસંદ કર્યો હતો, પરંતુ હવે તેઓ બેફિકર બનીને આ કાર્યને અંજામ આપી રહી છે. હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનઘાટ પર જવા પર પાબંદી હોય છે. પરંતુ આ બંને વિધવા મહિલાઓ મજબૂરીમાં સ્મશાનઘાટ પર આવતી લાશોના અંતિમ સંસ્કાર કરીને પોતાના બાળકોનું પેટિયુ રળી રહી છે.
જૌનપુરમાં આદિ ગંગા ગોમતી નદીના કાંઠા પર સ્થિત ખુટહનના પિલછિકા ઘાટ પર ગામલોકો શબોના અંતિમ સંસ્કાર કરે છે. અહીં દરરોજ આશરે આઠ થી દસ મૃતદેહો સળગાવવામાં આવે છે. મૃતદેહને બાળવાનું કામ આ બે મહિલાઓ પર છે, આ મહિલાઓ જ છેલ્લે સુધી શબને બાળે છે. જ્યાં સુધી પુરી રીતે બળીને ખાક ન થઈ જાય.
પતિના અવસાન બાદ બંને મહિલાઓ સામે આજીવિકાનું સંકટ સર્જાયું હતું. તેમની પાસે ખેતી કરીને બાળકોને ખવડાવવા એક ઇંચ જમીન પણ નહોતી. આવી સ્થિતિમાં બંને મહિલાઓએ તેમના પતિનો ધંધો અપનાવ્યો અને રોજી-રોટી કમાવાનું શરૂ કર્યું.
આ કામમાં વ્યસ્ત રહેલી મહરીતા કહે છે કે પહેલા સસરા આ કામ કરતા હતા, ત્યારબાદ પતિ કરતા હતા અને તેમના મોત પછી તે પોતે જ આ કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, તેઓના પતિના અવસાન પછી આજીવિકા માટે કોઈ સહારો ન હતો. તેથી, સ્વાભિમાન સાથે જીવવા માટે, તેમણે આ વ્યવસાય પસંદ કર્યો હતો, જેથી કોઈની સામે હાથ ફેલાવવા ન પડે.
તો, આ કામમાં રોકાયેલી અન્ય એક મહિલા સરિતાનું કહેવું છે કે, તેને આઠ વર્ષનો છોકરો અને બે પુત્રી છે, તેણે આ વ્યવસાયને મજબૂરીમાં પસંદ કર્યો હતો પરંતુ હવે તેને કોઈ પસ્તાવો નથી. તે આ કામ કરીને બાળકોનું ભરણ-પોષણ કરી રહી છે. હવે તેને કોઈ વાતની ચિંતા નથી.
હિન્દુ ધર્મમાં મહિલાઓને સ્મશાનઘાટ પર જવા પર પાબંદી હોય છે. પરંતુ આ બંને વિધવા મહિલાઓ મજબૂરીમાં સ્મશાનઘાટ પર આવતી લાશોના અંતિમ સંસ્કાર કરીને પોતાના બાળકોનું પેટિયુ રળી રહી છે.