Only Gujarat

Gujarat

પરિણીત પ્રેમિકા અને પ્રેમી વચ્ચે બેડરૂમમાં ચાલતી હતી કામલીલા, અચાનક આવી ગયો પતિ અને…

વલસાડના ઉમરગામમાં પ્રેમિકાના ઘરમાં જ પ્રેમી રંગરેલીયા મનાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક પ્રેમિકાનો પતિ આવી જતાં પ્રેમી ગભરાઇ ગયો. ભાગવા માટે તેણે ઉપાય અજમાવ્યો. પરંતુ સફળ નહીં થતાં સાતમાં માળેથી નીચે કુદકો મારી દીધો. જેમાં ગંભીર ઈજા પહોંચતા પ્રેમીનું મોત થયું. જો કે આ ઘટના શંકાસ્પદ પણ લાગી રહી છે. એવી પણ આશંકા છે કે, પ્રેમિકાના પતિએ ધક્કો મારી નીચે ફેંકી દીધો હોઈ શકે છે. તેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી એક પરિણીત મહિલા સાથે 2 સંતાનના પિતા એવા 45 વર્ષીય રાજુ કિશનભાઈ દૂબળા (રહે. પાવર હાઉસ નજીક, નવી નગરી) છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. શુક્રવારે વહેલી સવારે રાજુ પોતાની પ્રેમિકાને મળવા માટે અહીં આવ્યો હતો.

પ્રેમિકાના ફ્લેટમાં જ રાજુ પોતાની પરિણીત પ્રેમિકા સાથે જાતિય સુખી માણી રહ્યો હતો ત્યારે અચાનક પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. તેથી રાજુ દૂબળા ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાની બીકે સાતમા માળના ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારી દીધી હતી. તેના કારણે તેના માથાના તેમજ અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતાં ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટના બાદ બિલ્ડિંગમાં રહેતા તેમજ આજુબાજુના રહીશોનાં ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતાં.

ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હતી. જોકે અંતિમવિધિમાં મૃતક રાજુના સ્વજનોમાં એવી ચર્ચા થઈ રહી હતી કે આ અકસ્માત નહીં, પણ પૂર્વ આયોજિત હત્યા હોઈ શકે છે. મૃતકના પરિવારનો પણ આરોપ છે કે, પ્રેમિકાના પતિએ કાવતરૂં ઘડીને પત્નીને કહીને રાજુને શારીરિક સંબંધ માણવા બોલાવ્યો હતો. એ વખતે પતિ પોતાના મિત્રો સાથે હાજર હતો અને તેમણે રાજુને નીચે ફેંકી દઈને હત્યા કરી છે.

મોતને ભેટેલા પ્રેમી યુવક રાજુ દૂબળા નજીકમાં જ એક વ્યક્તિના ત્યાં સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તે દરમિયાન બે વર્ષ પહેલાં આ બિલ્ડિંગમાં સાતમા માળે રહેતી મહિલાના સંપર્કમાં આવતાં બંને વચ્ચે આંખો મળી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે આડા સંબંધો શરૂ થયા હતા.

જો કે મહિલાના પતિને બંનેના સંબંધની ગંધ આવી જતાં ગુરૂવારે રાત્રે મહિલાના પતિએ તેના એક સાથીમિત્ર સાથે મળી રાજુ સાથે ઝઘડો કર્યો હોવાની વાત ઘટનાસ્થળથી જાણવા મળી રહી છે. આ ઝઘડાની અદાવતમાં હત્યાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે. પોલીસે હાલ તો આ ઘટના અંગે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું માનીએ તો હત્યાના એંગલથી પણ તપાસ થઈ રહી છે.

You cannot copy content of this page