મુંબઈ: આ વર્ષે એક બાદ એક ખરાબ સમાચારો સાંભળવા મળી રહ્યા છે. લૉકડાઉન બાદ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન થયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડસ્ટ્રીને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ઋષિ કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત અને સમીર શર્મા બાદ હવે સંગીતા શ્રીવાસ્તવને લઈને ખરાબ સમાચાર આવ્યા છે.
સંગીતાએ મંગળવાર, 25 ઓગસ્ટના રોજ મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ ટીવીના જાણીતા અભિનેત્રી હતા અને પોતાના એક્ટિંગ કરિયરમાં તેણે અનેક ટીવી શોઝમાં કામ પણ કર્યું.
ગંભીર બીમારીનો હતા શિકારઃ એક રિપોર્ટનું માનીએ તો સંગીતા લાંબા સમયથી બીમાર હતા અને કોકિલાબેન હૉસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. રિપોર્ટમાં એ વાતની જાણકારી આપવામાં આવી છે કે તે વસ્ક્યૂલિટિસ નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
અનેક ટીવી શોઝમાં કર્યું કામઃ સંગીતાએ બરુન સોબતી અને સનાયા ઈરાનીના સુપરહિટ શો ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં’ સિવાય ‘થપકી પ્યાર કી’ અને ‘ભંવર’ જેવા શોઝમાં અલગ અલગ ભૂમિકાઓ નિભાવી હતી.