પ્રોફેશનલ ફ્રંટ પર જ્યાં શ્વેતા તિવારીએ સફળતા મેળવી છે ત્યાં પર્સનલ લાઈફમાં અભિનેત્રીના જીવનમાં ક્યારેય લગ્ન સુખ મળ્યું નથી. શ્વેતા તિવારીએ બે-બે લગ્ન કર્યાં, છતાં બંનેમાંથી એકપણ લગ્નમાં સુખ ન મળ્યું.
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફિટનેસ અને પર્સનલ લાઈફના કારણે ઘણીવાર ચર્ચાઓમાં આવેલી છે. બેગુસરાય, કસૌટી જિન્દગી સહિત સિરિયલ્સની સાથે-સાથે નચ બલિયે, ઝલક દિખલા જા, ખતરો કે ખિલાડી જેવા ઘણા શોમાં કામ કરનાર શ્વેતા આજે પણ લોકપ્રિય છે. જોકે પ્રોફેશનલ લાઈફમાં સફળતા મેળવનાર શ્વેતાની પર્સનલ લાઈફમાં હંમેશાં ઉલટ-સુલટ જ રહી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ શ્વેતા તિવારીનાં બે નિષ્ફળ લગ્નો અંગે.
શ્વેતા તિવારીનાં પહેલાં લગ્ન રાજા ચૌધરી સાથે થયાં હતાં. આ લગ્ન વર્ષ 1998 માં થયાં હતાં અને આ લગ્નથી શ્વેતાના ઘરે દીકરી પલકનો જન્મ થયો હતો. ઉલ્લેખનિય છે કે, લગ્નના થોડા દિવસો બાદ જ શ્વેતાની પર્સનલ લાઈફમાં તોફાન આવવાનું શરૂ થઈ ગયું.
વાસ્તવમાં શ્વેતાએ એ ખુલાસો કરીને સનસની ફેલાવી દીધી હતી કે, રાજા ચૌધરી દારૂના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો. તો શ્વેતાએ પણ એ આરોપ મૂક્યો હતો કે, રાજા દીકરી પલકને પણ મારતો હતો. આ દરમિયાન રાજાના કેટલાક વીડિયો પણ બહુ વાયરલ બન્યા, જેમાં તે દારૂ પીને તોફાન કરી રહ્યો હોય. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2007 માં રાજા અને શ્વેતાના ડિવોર્સ થઈ ગયા.
પહેલાં લગ્ન તૂટ્યા બાદ શ્વેતા તિવારીએ બીજાં લગ્ન અભિનવ કોહલી સાથે વર્ષ 2013 માં કર્યાં. જોકે શ્વેતાનાં આ લગ્ન પણ નિષ્ફળ રહ્યાં. આ દરમિયાન અભિનવે એઅ કહીને સનસની ફેલાવી દીધી કે, શ્વેતા તેને તેના દીકરા રેયાંશને મળવા દેતી નથી. તો શ્વેતાએ પણ અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ મૂકી કેસ કરી નાખ્યો. એટલું જ નહીં, શ્વેતાએ એમ પણ કહ્યું હતું કે, અભિનવ તેની દીકરી પલક સાથે ખરાબ વર્તન કરતો હતો અને તેને ગાળો દેતો હતો.