જો તમે સંધિવાથી પીડિત છો, તો તમારે આહારમાં હળદરનો સમાવેશ કરવો જ જોઇએ. હળદર સાંધાનો દુખાવો દૂર કરવા માટે પેઇન કિલર તરીકે કામ કરે છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા સંશોધન મુજબ, હળદર ઘૂંટણની પીડાથી રાહત માટે અસરકારક સાબિત થઈ છે.
12 અઠવાડિયા ચાલ્યુ રિસર્ચ
હળદરની અસરને સમજવા માટે ઓસ્ટ્રેલિયાની ટેજમેનિયા યુનિવર્સિટીમાં સંધિવાના 70 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ ઘૂંટણની પીડાથી પીડાઈ રહ્યા હતા અને તેમના સાંધાના આંતરિક ભાગમાં સોજો હતો. તેમને 12 અઠવાડિયા સુધી દરરોજ હળદરના બે કેપ્સ્યુલ્સ આપવામાં આવ્યાં હતાં. ત્રણ મહિના પછી હળદરની અસર જોવા મળી.
જે લોકોએ હળદર લીધી ન હતી, તેઓમાં દર્દ એવું જ હતુ
એન્નલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, ઘૂંટણની પીડાથી પીડિત જે દર્દીઓએ હળદરની સપ્લિમેંન્ટ લીધી હતી, તેઓમાં પીડા ઓછી થઈ હતી. આ સમય દરમિયાન, તેઓએ કોઈ આડઅસર દેખાડી નહીં. તો, જે દર્દીઓને હળદર આપવામાં આવી ન હતી તે લોકોમાં સતત પીડા રહી છે. હળદરના દર્દીઓના ઘૂંટણનું સ્કેન કરવા પર, એવું જોવા મળ્યું કે આંતરિક રીતે કોઈ તફાવત નથી, પરંતુ પીડા ચોક્કસપણે ઓછી થઈ છે. સંશોધનકારોનું કહેવું છે કે આનું મોટા પાયે ટ્રાયલ હાથ ધરવાની જરૂર છે.
ભારતીય સંશોધનકારોએ સાબિત કર્યું કે, તે કેન્સર સામે રક્ષણ આપે છે
તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હળદરથી કેન્સરની સારવાર માટે અમેરિકનું પેટન્ટ પ્રાપ્ત કરાયું છે. સંસ્થાનો દાવો છે કે હળદરમાં હાજર કરક્યૂમિન તત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી કેન્સરની ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર થઈ શકે છે. જેથી ટ્યૂમર ખતમ કરી અને શરીરમાં ફેલાતા રોકી શકાય.
કરક્યૂમિન જ કેમ
મુખ્ય સંશોધનકર્તા ડૉ. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં હાજર કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરની કોષિકાઓને ખત્મ કરવા માટે ટ્યૂમરવાળા હિસ્સામાં સીધા કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. તે સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તે કેન્સરના કોષોને ખતમ કરી નાખે છે.
આ પણ ફાયદા છે
હળદર અંગે અગાઉ સંશોધન થઈ ચૂક્યું છે, જેમાં તેના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે-
રોગો સામે લડવાની ક્ષમતા વધે છે:
આયુર્વેદ મુજબ હળદરનો ઉપયોગ હજારો વર્ષોથી દવા તરીકે પણ થાય છે. તેમાં એન્ટી-ઈંફ્લેમેન્ટ્રી અને એન્ટીઓકિસડેન્ટ્સ છે જે તેને સુપર ફૂડ સાબિત કરે છે. તેને આહારમાં શામેલ કરવાથી રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો થાય છે. આયુર્વેદ નિષ્ણાતો પણ કોરોનાના સમયગાળામાં હળદરનું દૂધ પીવાનું સૂચન આપી રહ્યા છે.
મગજને સ્વસ્થ રાખે છે:
હળદરમાં હાજર કરક્યૂમિન મગજમાં BDNF હોર્મોનનું સ્તર વધારે છે, જે મગજમાં નવા કોષો બનાવે છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયાનું જોખમ પણ ઘટે છે.
ડિપ્રેશનને દૂર કરવામાં પણ મદદરૂપ:
60 લોકો પર કરાયેલા સંશોધનથી બહાર આવ્યું છે કે, કરક્યૂમિન એન્ટીડિપ્રેસેન્ટનું કામ કરે છે. જે ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે. સંશોધનને પુરાવા મળ્યું કે, તે માણસને ખુશ રાખતા હોર્મોન જેવાકે, ડોપામાઈનને રિલીઝ કરવામાં મદદ કરે છે.