સુશાંત સિંહ રાજપુતને કોઈ પણ ન હતા મિત્રો, ઘરે થતી પાર્ટીઓમાં આવતાં હતાં રિયાના મિત્રો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મામલે રોજ કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે. જે કેસ અગાઉ ફક્ત એક આત્મહત્યાનો કેસનો હોવાનું કહેવામાં આવતું હતું, હવે દરેક એંગલને ધ્યાનમાં રાખીને તપાસનો દોર વધારવામાં આવ્યો છે. હવે પટણા પોલીસે પણ આ મામલે ઝડપી ગતિએ તપાસ શરૂ કરી છે. આ સંબંધમાં, અભિનેતાના કૂક નીરજનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
શાંતના રસોઈયાએ આવી ઘણી વાતો જણાવી છે, જેને સાંભળીને અચંબામા પડી શકાય છે. કૂકના કહેવા મુજબ સુશાંતના જૂના મકાનમાં ભૂતનો ઓછાયો હતો.
કૂક કહે છે – દિવાળી પછી પહેલાનું ઘર એટલા માટે છોડી દેવામાં આવ્યું હતું કારણ કે તેમાં ભૂતનો ઓછાયો હતો. લિફ્ટ જાતે ચાલવા લાગતી હતી, લાઈટ આપમેળે ચાલુ / બંધ થતી અને ડ્રમ્સનો અવાજ આવતો. મેં બે વાર ડ્રમનો અવાજ પણ સાંભળ્યો. સર પણ ડરતા હતા.
તો રસોઈયાએ એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંતના ઘરે પાર્ટીઓ થતી હતી. રિયા અને તેના પરિવારના લોકો પાર્ટીમાં આવતા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે – ઘરના ટેરેસ ઉપર રોજ પાર્ટી થતી હતી, જેમાં મેમના પરિવારના સભ્યો તેમના માતા-પિતા, ભાઈ અને ભાઈના મિત્રો હાજર રહેતા હતા. સરનો કોઈ મિત્ર નહોતો, તેમણે મેમના ભાઈના મિત્રોને પોતાના મિત્રો બનાવ્યા હતા.
કૂકના જણાવ્યા અનુસાર સુશાંતને પણ આની જાણકારી હતી અને તેણે ખર્ચા ઘટાડવા અંગે પણ વાત કરી હતી. પૂછપરછ દરમિયાન નીરજે 14 જૂનનો દિવસ પણ યાદ કર્યો છે, જે દિવસ સુશાંતે આપઘાત કર્યો હતો. તેણે સુશાંતે તે દિવસે શું-શું કર્યું હતુ, તે વિગતવાર સમજાવ્યું છે.
રેકોર્ડ કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે – સુશાંત તે દિવસે 7 વાગ્યે જાગ્યો હતો. જાગ્યા પછી તે નીચે આવ્યો અને મારી પાસે ઠંડુ પાણી માંગ્યુ હતુ. જો કે માંદગીને લીધે, તેમને ઠંડુ પાણી આપવાની મનાઈ હતી. રિયા મેમે કહ્યું હતું, તેમ છતાં પણ મેં તેમને સામાન્યથી થોડું ઠંડુ પાણી આપ્યું હતું અને પાણી પીધા બાદ તેઓ હસ્યા હતા. પછી તે તેમના રૂમમાં ગયા હતા. બાદમાં તેમને જ્યુસ આપવામાં આવ્યો હતો.
કૂક આગળ કહે છે – જ્યારે હું લંચ માટે પુછવા ગયો ત્યારે રૂમ બંધ હતો. થોડા સમય પછી, મે ફરીથી દરવાજો ખખડાવ્યો. પરંતુ દરવાજો ખોલ્યો નહીં, 1-2 કલાક પછી જ્યારે રૂમનો દરવાજો ખૂલ્યો, તો અમે લોકો અવાક થઈ ગયા હતા. સાહેબ પંખામાં લટકી રહ્યા હતા અને તેમણે પોતાના કુર્તાને ફંદો લગાવ્યો હતો.
તો સાથે જ એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુશાંત રિયાની સાથે યુરોપ ટુર પર ગયો હતો. કૂકના કહેવા પ્રમાણે, જ્યારે સુશાંત સફર પર ગયો હતો, ત્યારે તે ખૂબ જ સ્વસ્થ હતો. કૂકનું માનવું હતું કે જ્યારે સુશાંત સફરમાંથી પાછો ફર્યો ત્યારે તેની તબિયત સારી નહોતી.
આ સમયે, રિયા ચક્રવર્તી સુશાંતના મામલામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. સુશાંતના પિતાની FIR બાદથી જ રિયા પ્રશ્નોથી ઘેરાયેલી છે. પરંતુ રિયાએ અગ્રેસિવ સ્ટેન્ડ લઈને કોઈપણ આરોપોને સ્વીકારવાની ના પાડી દીધી છે.