Only Gujarat

Bollywood

સુશાંતના પિતાએ કરી હતી વિનંતી, રિયા ચક્રવર્તીના બહેરા કાને નહોતી અથડાઈ આ વાતો

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ અને ઈડી તપાસ કરી રહી છે. રોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર શંકાની સોય ટાંકવામાં આવી રહી છે. તો સુશાંતના પિતા કેકે સિંહ પણ પોતાના દીકરાને ન્યાય મળે તે માટે અપીલ કરી રહ્યા છે. હવે સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તીને કરેલી મેસેજના સ્ક્રીનશૉટ્સ સામે આવ્યા છે.

આ મેસેજ નવેમ્બર 2019નો છે. સુશાંતના પિતાએ રિયાને નવેમ્બર 2019માં મેસેજ કર્યો હતો. મેસેજમાં તે પોતાના દીકરા એટલે કે સુશાંત સાથે વાત કરાવવા માટે રિયાને વિનંતી કરતા જોવા મળ્યા હતા.

સુશાંતના પિતાએ મેસેજમાં લખ્યું કે, ‘જ્યારે તને ખબર પડી કે હું સુશાંતનો પિતા છું તો વાત કેમ ન કરી. આખરે વાત શું છે? ફ્રેંડ બનીને તેની દેખભાળ અને ઈલાજ કરાવી રહી છો. તો મારી પણ ફરજ બને છે કે સુશાંત વિશે તમામ જાણકારી મને પણ રહે. એટલે મને ફોન કરીને બધી જાણકારી આપ.’

આ સિવાય સુશાંતના પપ્પાએ શ્રુતિ મોદીને પણ મેસેજ મોકલ્યો હતો કે, ‘હું જાણું છું કે સુશાંતના તમામ કામ અને તેને પણ તું જ જુએ છે. અત્યારે તે કઈ સ્થિતિમાં છે તેના વિશે વાત કરવી હતી. સુશાંતની સાથે વાત થઈ તો તે કહી રહ્યો હતો કે ખૂબ જ પરેશાન છું. હવે તમે જ વિચારો કે એક પિતાને કેટલી ચિંતા થશે તેના માટૈ. એટલે જ તમારી સાથે વાત કરવા માંગતો હતો. હવે તું વાત નથી કરી રહી તો હું મુંબઈ જવા ઈચ્છું છું. ફ્લાઈટની ટિકિટ મોકલી દે.’

મેસેજીસથી એવું લાગી રહ્યું છે કે સુશાંતને લઈને તેના પિતા ખૂબ જ પરેશાન હતા અને સુશાંતના ફેમિલિ મેમ્બર્સથી સંપર્ક નહોતો થઈ શકતો. સુશાંતના પિતા પોતાના દીકરાને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેમની મજબૂરી જોવા મળી રહી છે. તે દીકરાને લઈને પરેશાન હતા અને રિયા – શ્રુતિ સાથે વાત કરવા માંગતા હતા.

ઉલ્લેખનીય છે કે સુશાંતના કેસની તપાસ સીબીઆઈ અને ઈડી કરી રહી છે. સુશાંત 14 જૂને પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. ત્યારથી તેના ચાહકો ન્યાયની માગણી કરી રહ્યા છે. પોલીસના પ્રમાણે, સુશાંત ડિપ્રેશનમાં હતા.

You cannot copy content of this page