Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા રાયના સસરાની અભિનેત્રી મૃત્યુ સમયે હતી ગર્ભવતી, અકસ્માત બાદ પરિવારને નહતો આપ્યો મૃતદેહ

અમિતાભ બચ્ચન ભલે પાછલી સદીમાં મહાનાયક રહ્યા હોય, પરંતુ આ સદીમાં પણ ડંકો તેમના નામનો જ વાગે છે. ફરી એકવાર તેમણે સાબિત કરી દીધું છે કે શા માટે તેમને મેગા સ્ટાર કહેવામાં આવે છે. બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ, એટલે કે BARCએ પાછલા અઠવાડિયાના ટીવી કાર્યક્રમોના સર્વેમાં ખુલાસો કર્યો છે કે અમિતાભની ફિલ્મ સૂર્યવંશમ્ હજી પણ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રીમિયમ ચેનલો પર જોવાયેલી મૂવીઝમાં આ ફિલ્મ ટોચ 5માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. આવું ત્યારે થઇ રહ્યું છે જયારે આઈપીએલ 2020 ટીવી પર ધૂમ મચાવી રહ્યું છે. ભાગ્યે જ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મમાં, દક્ષિણની ફિલ્મોની અભિનેત્રી સૌંદર્યાએ અમિતાભ સાથે સ્ક્રીન શેર કરી હતી. સૌંદર્યાની આ એકમાત્ર બોલિવૂડ ફિલ્મ છે. સૌંદર્ય હવે આ દુનિયામાં નથી. તેમનું 16 વર્ષ પહેલાં એક પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું.

જણાવવાનું કે 17 એપ્રિલ, 2004ના રોજ, સૌંદર્યાનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતા. તે સમયે તેણી ફક્ત 31 વર્ષની હતી અને ગર્ભવતી હતી. સૌંદર્યનું અસલી નામ સૌમ્યા સત્યનારાયણ હતું. તેમનો જન્મ 18 જુલાઈ 1972ના રોજ કર્ણાટકના કોલરમાં ઉદ્યોગપતિ અને કન્નડ ફિલ્મોના લેખક કે. એસ. નારાયણને ત્યાં થયો હતો. સૌંદર્યાએ અનેક એવોર્ડ્સ પણ જીત્યા હતા.

ફિલ્મ ‘સૂર્યવંશમ’ રિલીઝ સમયે ભલે ફ્લોપ થઈ ગઈ હતી, પરંતુ તે આજે એક ખૂબ જ ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. એક મૂવી ચેનલ પર આ મૂવી દર બે-ત્રણ દિવસે જોઈ શકાય છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સામે સાઉથની ફિલ્મોની અભિનેત્રી સૌંદર્યા રઘુ જોવા મળી હતી. ફિલ્મના રિલીઝ થયાના 5 વર્ષ પછી સૌંદર્યાનું અવસાન થયું. તેણી જ્યારે મૃત્યુ પામી ત્યારે તે ગર્ભવતી હતી. પરંતુ પરિવારને તેમનો મૃતદેહ પણ મળ્યો નહોતો.

17 એપ્રિલ 2004ના રોજ, સૌંદર્યા ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે કરીમનગર જઈ રહ્યા હતા. સવારે 11.05 વાગ્યે, ચાર સીટનું ખાનગી વિમાન બેંગ્લોરના જકકુર એરફિલ્ડથી ઉપડ્યું અને લગભગ 100 ફુટ ઉપર જતા જ ક્રેશ થયું. વિમાનમાં સૌંદર્યા ઉપરાંત તેમના ભાઈ અમરનાથ, હિન્દુ જાગરણ સમિતિના સચિવ રમેશ કદમ અને પાઇલટ જોય ફિલિપ હાજર હતા. આ દુર્ઘટનામાં ચારેયનું મોત નીપજ્યું હતું.

તેમના મૃત્યુના આશરે એક વર્ષ પેહલા જ 2003માં, સૌંદર્યાએ સોફ્ટવેર એન્જિનિયર જી.એસ. રઘુ સાથે લગ્ન કર્યાં હતાં. અહેવાલો અનુસાર, 2010માં જી.એસ. રઘુએ અર્પિતા નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા.

1998માં જ્યારે સૌંદર્યાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે – મારા દિમાગમાં ફિલ્મો એ છેલ્લી વસ્તુ હતી. મારા પિતા એક ફિલ્મમેકર હતા અને હું તેમની સાથે ઘણીવાર સેટની મુલાકાત લેતી હતી. હું એમબીએ પૂર્ણ કરી અને વ્યવસાયિક લાઇનમાં જોડાવા માંગતી હતી પરંતુ જ્યારે પાપાના મિત્રએ મને એક રસપ્રદ ભૂમિકા માટે મારો સંપર્ક કર્યો ત્યારે મેં એક્ટિંગમાં જોડાવાનું નક્કી કર્યું.

સૌંદર્યાએ કહ્યું હતું કે જ્યારે તેણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારે નિર્માતાઓની સામે તેની પહેલી શરત એ હતી કે તે એક્સપોઝ નહીં કરે. 1992માં, સૌંદર્યાએ કન્નડ ફિલ્મ ગંધર્વથી મોટા પડદે પ્રવેશ કર્યો. તે જ વર્ષે, તેમણે તેલુગુ ભાષાની ફિલ્મ ‘રાયથુ ભારતમ’ પણ કરી. 12 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં, સૌંદર્યાએ 114 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના મૃત્યુ પછી, તેમની છેલ્લી ફિલ્મ ‘અપ્થામિત્ર’ ઓગસ્ટ 2004માં રજૂ થઈ, જે કન્નડમાં બનાવવામાં આવી હતી.

સમગ્ર કારકિર્દી દરમિયાન, સૌંદર્યાએ હિન્દીમાં ફક્ત એક જ ફિલ્મ ‘સૂર્યવંશમ’ કરી હતી. નિર્દેશક ઇવીવી સત્યનારાયણની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ડબલ રોલ હતો. સાઉથ સિનેમાના સ્ટાર્સ વિશે વાત કરીએ તો સૌંદર્યાએ રજનીકાંત સાથે ‘અરુણાચલમ’,’પદાયપ્પા’, વેંકટેશ સાથે ‘રાજા’,’પવિત્ર બંધન’ અને ચિરંજીવીની સાથે ‘ચૂડાલાની વુંદી’ જેવી ફિલ્મો કરી હતી.

2004માં મૃત્યુ પછી રિલીઝ થયેલ કન્નડ ફિલ્મ ‘અપ્થામિત્ર’ માટે સૌંદર્યાને ફિલ્મફેર(દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા તે પાંચ વખત આ એવોર્ડ જીતી ચૂકી છે. 1988ના એક ઈન્ટરવ્યુમાં સૌંદર્યાએ કહ્યું હતું કે સૂર્યવંશમ પહેલાં, તેમને બોલિવૂડની ઘણી ફિલ્મોની ઓફર્સ મળી હતી. પરંતુ સ્ક્રિપ્ટ પસંદ ન હોવાને કારણે તેમણે તેને નકારી હતી. તેમણે કહ્યું હતું- મને સૂર્યવંશમમાં ભૂમિકા ખૂબ ગમી હતી અને મેં તરત જ હા પાડી.

You cannot copy content of this page