મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીએ સીબીઆઈ સમક્ષ નિવેદન આપ્યું છે કે, દિશાના મોતની વાત સાંભળતા જ સુશાંત બેભાન થઈ ગયો હતો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે-‘તે લોકો મને મારી નાખશે.’ પિઠાનીના આ નિવેદનથી દિશા અને સુશાંતના મોત વચ્ચેનું કનેક્શન સામે આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતની બોડી 14 જૂનના મુંબઈ સ્થિત તેના ઘરે ફાંસો લટકેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. આ અગાઉ 8 જૂનના તેની પૂર્વ મેનેજર દિશા સલિયાને એક બિલ્ડિંગ પરથી કુદી આત્મહત્યા કરી હતી.
સિદ્ધાર્થે કહી હતી સુરક્ષા વધારવાની વાત
એક અંગ્રેજી ચેનલ અનુસાર, સિદ્ધાર્થના નિવેદનવાળા લેટરમાં દાવો કરવામાં આવ્યો કે 8 જૂનના દિશાના મોત બાદથી સુશાંતની સ્થિતિ સારી નહોતી. સુશાંતને પોતાના જીવ અંગે ડર હતો. તેણે સિદ્ધાર્થને પોતાની સુરક્ષા વધારવા અંગે વાત કરી હતી. સિદ્ધાર્થના સ્ટેટમેન્ટના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સુશાંત 8 જૂન અંગે કોઈ રહસ્ય તો જાણતો જ હતો અને તેથી જ તેને પોતાના જીવને જોખમ હોવાનું લાગી રહ્યું હતું.
રિયાને તમામ પાસવર્ડની ખબર હોવાથી ચિંતિત હતો સુશાંત
સિદ્ધાર્થના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સુશાંત પોતાના લેપટોપ, કેમેરા અને હાર્ડ ડ્રાઈવ જેવા ગેજેટ્સ શોધી રહ્યો હતો. આ દરમિયાન તેણે રિયાને ઘણીવાર ફોન કર્યો પરંતુ તેણે જવાબ આપ્યો નહીં.
રિયા પોતાની સાથે 8 જૂનના જ સુશાંતનો બધો સામાન લઈ ગઈ હતી. સુશાંતને એ જ ડર હતો કે રિયા તેના બધા પાસવર્ડ જાણતી હતી અને તેથી તે બીજા લોકોની સાથે તેને પણ ફસાવી શકતી હતી.