જયપુરઃ ઘરેથી લાપતા મહિલા અને એક યુવકનું શબ ગુરૂવારે (ત્રણ સપ્ટેમ્બર) સાંગાનેર વિસ્તારના એક ભાડાના રૂમમાંથી મળ્યું. પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ બંને સંબંધોમાં દિયર ભાભી હોવાનું સામે આવ્યું છે. રૂમમાં મહિલાનું શબ જમીન પર નીચે હતું તો યુવકની બોડી ફંદા પર લટકી રહી હતી. આ સ્થિતિને જોતા પોલીસે અંદાજો લગાવ્યો છે કે મહિલાને ગળું દબાવીને મારી નાખ્યાં બાદ યુવકે ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી હશે. બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ પરિવારને સુપ્રત કરી દેવાઇ છે.
જયુપુરના સાંગાનેર પોલીસના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું હતું કે, અમે બંને સાથે રહેવા માંગીએ છીએ. સાથે જીવવા મરવાનો વાયદો છે. આ કારણે અમારી લાશને પણ એક સાથે દફનાવવામાં આવે. આ બંને સગા દિયર-ભાભી નહોતા પરંતુ કાકા-મોટા બાપાના સંબંધમાં દિયર ભાભી થતા હતા. ઘટનાની જાણ પોલીસે પરિજનોને આપતા પરિવારજનો વિલાપ કરતા ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ લાશને પરિજનોને સોંપી દીધી છે.
સાંગાનેરના પોલીસ અધિકારી શિવ દયાલ ગોયરે જણાવ્યું કે, સાંગાનેરમાં ગોવિંદ નગર કોલોનીમાં આવેલ એક મકાનમાં મંગળવારે મોડી સાંજે એક મહિલા અને યુવકની લાશ હોવાની જાણકારી મળી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ બંનેની ઓળખ યોગશ, ધાકડ અને ભાભી ચંચલના નામે થઇ છે. પોલીસે અંદરથી બંધ રૂમના દરવાજાને ધક્કા મારીને ખોલ્યો હતો. દરવાજો ખૂલતા જ જોવા મળ્યું કે, મહિલાની લાશ નીચે જમીન પર હતી તો યુવક ફંદા પર લટકી ગયો હતો. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઇ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં તારણ આવ્યું છે કે યોગેશે મહિલાનું ગળું દબાવીને તેમની હત્યા કરી નાખી ત્યારબાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં તેમણે સાથ જીવવા અને મરવાની વાત કરી છે. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે અમે સાથે રહેવા માંગીએ છીએ તો બંનેને સાથે જ દફનાવવામાં આવે. આત્મહત્યાનું પ્રાથમિક કારણ તો પ્રેમસંબંધ જણાઇ રહ્યું છે. જો કે પોલીસ આ મુદ્દે ઊડાણથી તપાસ કરી રહી છે. પરિવારજનો સાથે વાતચીત બાદ સત્ય સામે આવી શકે છે.
30 ઓગસ્ટથી ચંચલ લાપતા હતીઃ તપાસ કરનાર પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ યોગેશ ધાકડ ગોવિંદ નગર સાંગાનેરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. જ્યારે ચંચલના 6 વર્ષ પહેલા ભરતપુર નિવાસી શિવ સિંહ સાથે લગ્ન થયા હતા. 30 ઓગસ્ટે ભરતપુરમાં આવેલા તેમના પતિને ઘરેથી તે રહસ્યમય રીતે ગાયબ થઇ ગઇ હતી. પરિવારજનોએ ખૂબ જ તપાસ કરી પરંતુ કંઇ પતો ન મળ્યો. આખરે પરિવારે 31 ઓગસ્ટ ચંચલ લાપતા હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસને મંગળવારે બંનેના મૃતદેહ મળ્યા.