Only Gujarat

Bollywood FEATURED

એક સમયે સલમાન ખાનના ભાઈએ ઐશ્વર્યા રાય પર લગાવ્યા હતાં ગંભીર આરોપો પછી….

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં 5.12 લાખ કેસ થઈ ગયાં છે. આ ઉપરાંત સરકારે અનલૉક – 4 લાગૂ કર્યું છે. જેમાં મોટાભાગની છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ તેમના ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ઐશ્વર્યા રાય પર નિશાન સાધ્યું હતું અને તેમના પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં.

એક સમય હતો જ્યારે સલમાન અને ઐશ્વર્યાનું અફેર ચાલતું હતું, પણ આ સંબંધનો અંત થયો હતો. સલમાનને બ્રેકઅપ પછી ઐશ્વર્યા સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનાતી સોહેલ ખાન નારાજ થયો હતો.

સોહેલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હવે ઐશ્વર્યા પબ્લિક વચ્ચે રડી રહી છે. જ્યારે તે ભાઈ સાથે ફરતી હતી, અમારા ઘરે આવતી હતી, અમારા પરિવારને તેના ઘરના માનતી હતી, ત્યારે તેને કોઈની કદર નહોતી. તેણે ક્યારેય અમને પોતાના સમજ્યા નહોતાં.’

સોહેલે જણાવ્યું હતું કે, ‘તેણે ક્યારેય ભાઈને તેની ચાહતનો એહસાસ કરાવ્યો નથી, જેને લીધે ભાઈ તેના સંબંધને સિક્યોર નહોતો માનતો. તે હંમેશા જાણવા માગતો હતો કે, ઐશ તેમને કેટલો પ્રેમ કરે છે, પણ તેમને ક્યારેય તેમની ચાહત દેખાતી નહોતી.’

ઇન્ટરવ્યૂ દરમિયાન સૌહેલે ઐશ્વર્યા અને વિવેક ઓબેરોયના સંબંધ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ઐશ્વર્યા જ્યારે વિવેક સાથે રિલેશનમાં હતી ત્યારે પણ તે ભાઈ સાથે ફોન પર ટચમાં રહેતી હતી. આ કારણે વિવિક નારાજ થઈ ગયો હતો.’

સમાચારો મુજબ સલમાન તે સમયે ઐશ્વર્યાના પ્રેમમાં પાગલ હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો, પણ તે સમય હતો જ્યારે ઐશ્વર્યા તેના કરિયરના પિક પર હતી અને લગ્નનાં બંધનમાં બંધાવવા માગતી નહોતી. જોકે, 2 વર્ષના ડેટિંગ પછી બંનેો સંબંધ પુરો થઈ ગયો હતો. આજે બચ્ચન વહુ સલમાન ખાનને જોવાનું પસંદ પણ કરતી નથી અને તેમના વિશે વાત કરવાનું પણ પંસદ નથી.

ઐશ્વર્યા રાયે ખુદે દાવો કર્યો હતો કે તેમના અને સલમાનના બ્રેકઅપનું સૌથી મોટું કારણ વાયલેન્ટ બિહેવિયર અને ફિઝિકલ અબ્યૂઝ હતું. ઐશ્વર્યાના જણાવ્યા મુજબ, ‘અમારું બ્રેકઅપ થયા પછી સલમાન મારી સાથે બેવકૂફ જેવી વાતો કરતો હતો. એટલું જ નહીં તે મારા કો-સ્ટાર્સ સાથે અફેર અંગે મારા પર શંકા કરતો હતો. હું તે સમયે અભિષેક બચ્ચનથી શાહરૂખ ખાન જેવા એક્ટર સાથે કામ કરતી હતી અને તેમની સાથે જોડાયેલી હતી. ત્યાં સુધી કે સલમાને ઘણીવાર મારી સાથે મારપીટ કરી હતી. આ ઉપરાંત કામ પર એવી રીતે જતી હતી કે, કંઈ થયું જ ના હોય.

સલમાન સાથે બ્રેકઅપ પછી ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં ઘણાં આરોપ લગાવ્યાં હતાં. ઐશ્વર્યાએ કહ્યું હતું કે, ‘અમારા બ્રેકઅપ પછી તે મને ફોન કરી જેવી તેવી વાતો કરતો હતો.’ ઐશ્વર્યાએ જણાવ્યું કે, ‘સલમાનને શંકા હતી કે મારું મારા કો-સ્ટાર સાથે અફેર છે. મારું નામ શાહરૂખથી અભિષેક સુધી દરેક સાથે જોડાયેલું છે.’

ઐશ્વર્યા દ્વારા લગાવવામાં આવેલાં મારઝૂડના આરોપ પર સલમાન ખાને સ્પષ્ટા કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે, ‘મેં ક્યારેય ઐશ્વર્યા સાથે મારઝૂ઼ડ કરી નથી. મને કોઈ પણ મારી શકે છે.’

સલમાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હું ખૂબ જ ઇમોશનલ થઈ જવ છું. તે સમયે ખુદને ઈજા પહોંચાડી શકું છું.’

સલમાન ખાને કહ્યું હતું કે, ‘મેં દિવાલ પર માથું ભટકાડી ખુદને ઈજા પહોંચાડી છે. મેં કોઈને નુકસાન પહોંચાડી શકું નહીં. મેં સુભાષ ઘાઈ પર હાથ ઉઠાવ્યો હતો. તેમની પાસે પણ મેં આગલા દિવસે માફી માંગી હતી.’

વાત કરીએ સલમાન ખાનના વર્ક ફ્રન્ટની તો, ઓક્ટોબરમાં ટીવીના સૌથી વિવાદીત શૉ બિગ બોસની નવી સિઝન હોસ્ટમાં જોવા મળશે. સલમાન બિગ બોસનો પ્રીમિયર એપિસોડ ઓક્ટોબરમાં ફિલ્મ સિટીમાં શૂટ કરશે. આ પછી તેમની ફિલ્મ ‘રાધે’નું શૂટિંગ કરશે.

ઐશ્વર્યાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે અત્યારે ઘર પર પરિવાર સાથે સમય પસાર કરી રહી ચે. તેમની પાસે કોઈ પણ બોલિવૂડ ફિલ્મની ઓફર નથી. તે સાઉથની એક ફિલ્મમાં કામ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page